નવી દિલ્હીઃ કેન્દ્રિય કેબિનેટે અલાહાબાદ બેંક, આંધ્ર બેંક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સહિતની ૧૦ પબ્લિક સેક્ટરની બેંકોના મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ૧૦ બેંકોને મર્જ કરી ચાર મોટી બેંક બનાવવાની પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ કરાશે તેમ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેંકમાં, સિન્ડીકેટ બેંકને કેનેરા બેંક, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તથા અલ્લાહાબાદ બેંકને ઈન્ડિયન બેંકમાં મર્જ કરાશે. સરકારના આ નિર્ણયથી સરકારી બેંકોની એનપીએ એટલે કે પરત આવવાની નથી એવી મૂડી હવે સાવ ભૂલાઈ જશે. તેનાથી નાણાં મંત્રાલયને પણ રાહત થશે.