ચેન્નઈ: તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાંથી ૩૭ વર્ષ અગાઉ ચોરાયેલી નટરાજની ૭૦૦ વર્ષ પ્રાચીન મૂર્તિ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લવાઈ છે. આ મૂર્તિ ઘણી મૂલ્યવાન છે. ઓસ્ટ્રેલિયન આર્ટ ગેલેરીમાંથી તેને ભારત પરત લાવવામાં તમિલનાડુના નિવૃત્ત આઇજીપી પોન માનિકાવેલે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.