નવી દિલ્હીઃ ગુહ પ્રધાન અમિતશાહે ૨૦મીએ કહ્યું છે કે ગેરકાયદે રહેતા લોકોને ઓળખ માટે રાષ્ટ્રીય ભારતીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) સમગ્ર દેશમાં લાગુ કરાશે. રાજ્યસભામાં નહીં આવે અને તમામ ધર્મ તથા સંપ્રદાયના લોકોને સામેલ કરાશે. પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે લોકોને રાષ્ટ્રીય ભારતીય નાગરિક રજિસ્ટ્રાર અને નાગરિકત્વ અધિનિયમમાં કરાયેલા સુધારા અંગે ભ્રમ છે. હકીકતમાં આ બંને અલગ વસ્તું છે. એનસઆરસીમાં કોઇ પણ ધર્મની વ્યક્તિએ ચિંતા કરવાની જરૂરી નથી.