‘કેજરીવાલે ટિકિટ માટે છ કરોડ રૂપિયા લીધા’

Saturday 18th May 2019 09:20 EDT
 
 

નવી દિલ્હીः દિલ્હીમાં લોકસભાની સાતે સાત બેઠકો પર મતદાન હતું તેની પૂર્વ સંધ્યાએ પશ્ચિમ દિલ્હી બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર જાખડના દીકરા ઉદય જાખડે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી અને એના કન્વીનર અરવિદ કેજરીવાલે મારા પપ્પાને ટિકિટ આપવા માટે છ કરોડ રૂપિયા લીધા હતા. જોકે બલબીર જાખેડે આ આરોપો ફગાવી દીધા છે.
એક મુલાકાતમાં ઉદયે કહ્યું હતું કે મને મારા પપ્પાએ આ વાતની માહિતી આપી હતી. મારા પપ્પાએ માત્ર ત્રણ મહિના પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે કેજરીવાલ અને ગોપાલ રાયને આ રૂપિયા આપ્યા છે. આ પુરવાર કરવા માટે મારી પાસે પુરાવા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter