નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય અને શરમજનક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, યુપીએના સમયગાળામાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી.