નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હંસરાજ ભારદ્વાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો છે. ભારદ્વાજે કહ્યું છે કે, રાહુલના વ્યક્તિત્વમાં નેતાનાં લક્ષણો જ નથી. હું તેમને નેતા ગણતો જ નથી. રાહુલે હજુ ઘણું શીખવું પડશે. કોંગ્રેસની સરકારમાં કાયદા પ્રધાન રહેલા વરિષ્ઠ નેતા હંસરાજ ભારદ્વાજે એક મુલાકાતમાં રાહુલની કાર્યપદ્ધતિના ટીકા કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ઘણું શીખવું પડે તેમ છે. તેમનામાં નેતાના લક્ષણો જ નથી. રાહુલ ત્યારે જ નેતા ગણાશે જ્યારે લોકો તેમને નેતા તરીકે સ્વીકારશે. હું રાહુલ ગાંધીને અત્યારે નેતા ગણતો નથી. કોંગ્રેસ પાર્ટીની નિષ્ફળતા બાબતે કર્ણાટકના ગર્વનર રહી ચૂકેલા હંસરાજ ભારદ્વાજે કહ્યું હતું કે અત્યારે કોંગ્રેસ પાર્ટી ધર્મના રાજકારણમાં અટવાઈ ગઈ છે.