ભારતમાં 10 સૌથી મોટી વિમાન દુર્ઘટના

Saturday 21st June 2025 08:16 EDT
 

છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.
• 19 ઓક્ટોબર, 1988, અમદાવાદ: ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું. 133 લોકોના મોત. પાઇલટ્સે ઓટોમેટેડ ચેતવણીઓને અવગણતાં અકસ્માત થયો.
• 21 જૂન 1982, મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. 17 લોકોના મોત થયા. ખરાબ હવામાન જવાબદાર.
• 1 જાન્યુઆરી 1978, મુંબઈ: એર ઈન્ડિયાનું બોઈંગ 747 વિમાન ટેકઓફ થયા પછી તરત જ અરબી સમુદ્રમાં ક્રેશ થયું. બધા 213 લોકોના મોત થયા. ખામીયુક્ત પાર્ટ્સ મુખ્ય કારણ.
• 26 એપ્રિલ 1993, ઔરંગાબાદઃ ઇન્ડિયન એરલાઈન્સનું વિમાન ટેકઓફ થયા પછી તરત જ ટ્રક અને વીજળીના તાર સાથે અથડાયું. 55 લોકોનાં મોત થયા.
• 16 ઓગસ્ટ 1991, ઇમ્ફાલઃ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ક્રેશ થઈ. 69 લોકોના મોત. પાઇલટની ભૂલ અને નેવિગેશનમાં ખામી જવાબદાર છે.
• 14 ફેબ્રુઆરી 1990, બેંગ્લોર: ઈન્ડિયન એરલાઈન્સનું એરબસ A320 લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. 92 લોકોના મોત. ઓટોથ્રોટલ નિષ્ફળતા અને પાઇલટ દ્વારા મેન્યુઅલ નિયંત્રણમાં વિલંબ તેના કારણો હતા.
• 17 જુલાઈ 2000, પટણાઃ એલાયન્સ એરનું બોઇંગ 737 વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. 60 લોકોના મોત. તપાસમાં જાણવા મળ્યું કે ખરાબ હવામાન મોટું કારણ હતું.
• 12 નવેમ્બર 1996, ચરખી દાદરી: સાઉદી અરેબિયન અને કઝાકિસ્તાન એરલાઇન્સના વિમાનો હવામાં અથડાયા. 349 લોકોનાં મોત. તેનું કારણ કઝાક પાઇલટનું અંગ્રેજીનું નબળું જ્ઞાન હતું.
• 22 મે 2010, મેંગલોર: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ 812 મેંગલોર એરપોર્ટ ૫૨ ટેબલટોપ રનવે પરથી ઉતરી ગઈ અને ખાડામાં ક્રેશ થઈ ગઈ. 158 લોકોના મોત. ટેબલટોપ રનવેની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા.
• 7 ઓગસ્ટ 2020, કાલિકટ: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ રનવે પરથી લપસી ગઈ. 21 લોકોના મોત. તપાસમાં પાઇલટ દ્વારા SOPનું પાલન કરાયું ન હોવાનું સામે આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter