છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.
• 19 ઓક્ટોબર, 1988, અમદાવાદ: ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું. 133 લોકોના મોત. પાઇલટ્સે ઓટોમેટેડ ચેતવણીઓને અવગણતાં અકસ્માત થયો.
• 21 જૂન 1982, મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. 17 લોકોના મોત થયા. ખરાબ હવામાન જવાબદાર.
• 1 જાન્યુઆરી 1978, મુંબઈ: એર ઈન્ડિયાનું બોઈંગ 747 વિમાન ટેકઓફ થયા પછી તરત જ અરબી સમુદ્રમાં ક્રેશ થયું. બધા 213 લોકોના મોત થયા. ખામીયુક્ત પાર્ટ્સ મુખ્ય કારણ.
• 26 એપ્રિલ 1993, ઔરંગાબાદઃ ઇન્ડિયન એરલાઈન્સનું વિમાન ટેકઓફ થયા પછી તરત જ ટ્રક અને વીજળીના તાર સાથે અથડાયું. 55 લોકોનાં મોત થયા.
• 16 ઓગસ્ટ 1991, ઇમ્ફાલઃ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ક્રેશ થઈ. 69 લોકોના મોત. પાઇલટની ભૂલ અને નેવિગેશનમાં ખામી જવાબદાર છે.
• 14 ફેબ્રુઆરી 1990, બેંગ્લોર: ઈન્ડિયન એરલાઈન્સનું એરબસ A320 લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. 92 લોકોના મોત. ઓટોથ્રોટલ નિષ્ફળતા અને પાઇલટ દ્વારા મેન્યુઅલ નિયંત્રણમાં વિલંબ તેના કારણો હતા.
• 17 જુલાઈ 2000, પટણાઃ એલાયન્સ એરનું બોઇંગ 737 વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. 60 લોકોના મોત. તપાસમાં જાણવા મળ્યું કે ખરાબ હવામાન મોટું કારણ હતું.
• 12 નવેમ્બર 1996, ચરખી દાદરી: સાઉદી અરેબિયન અને કઝાકિસ્તાન એરલાઇન્સના વિમાનો હવામાં અથડાયા. 349 લોકોનાં મોત. તેનું કારણ કઝાક પાઇલટનું અંગ્રેજીનું નબળું જ્ઞાન હતું.
• 22 મે 2010, મેંગલોર: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ 812 મેંગલોર એરપોર્ટ ૫૨ ટેબલટોપ રનવે પરથી ઉતરી ગઈ અને ખાડામાં ક્રેશ થઈ ગઈ. 158 લોકોના મોત. ટેબલટોપ રનવેની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા.
• 7 ઓગસ્ટ 2020, કાલિકટ: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ રનવે પરથી લપસી ગઈ. 21 લોકોના મોત. તપાસમાં પાઇલટ દ્વારા SOPનું પાલન કરાયું ન હોવાનું સામે આવ્યું હતું.