અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી રામલલાના લલાટે સૂર્યતિલક

Thursday 25th April 2024 07:20 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામમાં ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ તેમના હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે ટેબલેટ પર રામલલાના સુર્યતિલકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં તેઓ ઉઘાડા પગે અને જમણો હાથ છાતી પર રાખીને અત્યંત ભાવુક થઇને રામલલાના સૂર્યતિલકના દર્શન કરતા દેખાયા હતા. મોદી આસામના નલબાડીમાં ચૂંટણીસભાને સંબોધવા પહોંચ્યા હતા. સભા બાદ હેલિકોપ્ટરમાં તેઓ રામલલાની આરાધનામાં લીન જોવા મળ્યા. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, નલબાડીની સભા બાદ મને અયોધ્યામાં રામલલાના સૂર્યતિલકની અદ્ભુત અને અપ્રતિમ ક્ષણ નિહાળવાનું સૌભાગ્ય સાપડયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter