ભારતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 10 એપ્રિલે ઇદ ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર રમઝાન માસના સમાપનની સાથે જ શ્રદ્ધાળુઓ ઇદની ઉજવણી કરી હતી. ઇદગાહો અને મસ્જિદોમાં ઇદની નમાઝમાં મોટી સંખ્યામાં અકિદતમંદોએ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ એકબીજાને ગળે લાગીને ઇદની મુબારકબાદ પાઠવી હતી. ઇદના પાવન પ્રસંગે લોકોએ શિરખુર્મા વડે એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું.