કોરોનાની રસી મુકાવવી એ આપણી સામાજિક જવાબદારીઃ મહંત સ્વામી

Thursday 08th April 2021 04:58 EDT
 
 

અમદાવાદ: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ તથા અન્ય વરિષ્ઠ સંતોએ બીજી એપ્રિલે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ મહંત સ્વામીએ લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી. મહંત સ્વામીએ કહ્યું કે, કોરોનાની રસી મુકાવવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, તે એક સામાજિક જવાબદારી છે, પરંતુ સાથે સાથે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. મહંત સ્વામીની સાથે ડોક્ટર સ્વામી, કોઠારી ભક્તિપ્રિય સ્વામી સહિતના વરિષ્ઠ સંતોએ કોરોના વેક્સિન લીધી હતી.
રસી લેવામાં વાંધો નથી: ઇમામ સિદ્દીકી
અમદાવાદની શાહી જામા મસ્જિદના ઇમામ મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યું હતું કે કોરોનાને ડામવામાં અસરકારક એવી વેક્સિન લેવામાં કોઈ વાંધો નથી. કોરોના સામેની લડતમાં વેક્સિન તમને તથા તમારા પરિવારને સુરક્ષિત રાખવામાં કારગત નીવડી શકે છે. ખોટી માન્યતા અથવા અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરવાથી મહામારીનો ભોગ બનતા બચી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter