ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠ

Thursday 21st September 2023 05:10 EDT
 
 

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં શીખોના પવિત્ર યાત્રાધામ સુવર્ણ મંદિર ખાતે સોમવારે ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ જગવિખ્યાત યાત્રાધામમાં ઉજવણીના ભાગરૂપે ગુરુ ગ્રંથ સાહિબ સાથે ભવ્ય ધાર્મિક શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે શીખ સમુદાયના લોકો આ પ્રસંગને પ્રકાશ પર્વ તરીકે પણ ઉજવે છે.
ગ્રંથ સાહિબની સ્થાની વર્ષગાંઠના અવસ૨ ૫૨ નગર કીર્તન શોભાયાત્રા દરમિયાન સાંસ્કૃતિ ઝાંખી દર્શાવતા ફ્લોટ સાથે યુવાનો દ્વારા અંગકસરતના દાવપેચ રજૂ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter