કેન્યામાં નાઇરોબી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 28 માર્ચે કરિયર ગાઇડન્સ સેમિનાર ‘ટુમોરો સ્ટાર્ટ્સ ટુડે’ યોજાયો હતો, જેમાં 265 યુવાન-યુવતીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓએ યુવા પેઢીને કારકીર્દિ ઘડતર સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારે યુવા પેઢીને અનુભવીઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનો મહામૂલો અવસર પૂરો પાડ્યો હતો.


