અમદાવાદઃ શહેરમાં આગામી 20 જૂને શહેરમાં નીકળનારી 146મી રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત પૂજન કરાયું હતું. આ પૂજન સાથે જ રથયાત્રાની તૈયારીઓની વિધિવત શરૂઆત કરવામાં આવે છે. આ વખતે ત્રણેય રથ નવા તૈયાર કરાયા છે. હવે રથોને કલરકામ કરવામાં આવશે.
આ અગાઉ શનિવારે સવારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં ત્રણેય રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
72 વર્ષ બાદ તૈયાર કરાયેલા આ ત્રણેય રથ સાગનાં લાકડામાંથી અને પૈડાં સીસમના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. જૂના રથ જેવા જ નવા રથ માટે 400 ઘન ફૂટ લાકડાનાો ઉપયોગ થયો છે. જ્યારે પૈડાં માટે 150 ઘન ફૂટ લાકડાનો ઉપયોગ થયો છે.