Advanced search


ભવ્ય પોપી સ્મારકની મુલાકાત લેવા હજારો લોકોની કતાર લાગી

લંડનઃ લાખો લોકોએ ટાવર ઓફ લંડન ખાતે પોપીઝની મુલાકાત લીધી છે. ભાગદોડ થવાના ભયે સત્તાવાળાઓને આ સ્થળની મુલાકાત નહિ લેવા લોકોને વિનંતી કરવી પડી હતી. જોકે, મુલાકાતીઓએ તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. રીમેમ્બરન્સ સન્ડેના દિવસે વરસતાં વરસાદમાં પણ છત્રીઓ ઓઢીને કતારમાં આગળ વઘતાં લોકોનું દૃશ્ય જોવાલાયક બની રહ્યું હતું. ઐતિહાસિક શાહી મહેલોના અધિકારીઓ દ્વારા આ ભવ્ય પોપી પ્રદર્શન આયોજિત કરાય છે.

કચ્છનો પ્રવાસપ્રિય રણોત્સવ નજીક આવી રહ્યો છે. આ મહોત્સવ માટે ડિસેમ્બરથી કચ્છમાં સેંકડો પ્રવાસી આવે એવી સંભાવના છે. આથી પ્રવાસીઓ અમદાવાદથી સીધા ભૂજ આવી શકે એ માટે આગામી માસથી દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી
થયું છે.

વલસાડ પંથકના ધરમપુરના બરૂમાળના ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે ગત સપ્તાહે ધરમપુર અને કપરાડા તાલુકાના ૧૩૯ પરિવારોના ૩૩૫ સભ્યો ખ્રિસ્તી ધર્મ છોડી શાસ્ત્રોક્ત વિધિથી પુનઃ હિંદુ ધર્મમાં જોડાયાં હતાં. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અપાતી ચીજવસ્તુઓની લાલચમાં આવી જઈ તેઓ ધર્માંતરણ કરતા હતા.

દિવાળીના મિની વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રના સોમનાથ, દ્વારકા, તુલસીશ્યામ, દિવ તથા પાવાગઢ, અંબાજી, પાલિતાણા, બહુચરાજી સહિત અન્ય સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, કેવડિયા કોલોની સરદાર સરોવર ડેમ, દક્ષિણ ગુજરાતના દમણ, તીથલ અને સાપુતારા ગિરીમથક પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કચ્છમાં માંડવીના બીચ, માતાનામઢ, ભૂજમાં સ્વામિનારાયણ મંદિર, ધોળાવીરા, નારાયણ સરોવર, લખપત, કાળો ડુંગર, સફેદ રણ સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઊમટ્યા હતા. માંડવી બીચ પર તો મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.

જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવતા સપ્તાહે ૨૫ નવેમ્બરથી વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થઇ રહ્યો છે. ચૂંટણી પંચે રાજ્યમાં કુલ પાંચ તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરી છે. 

વિક્ટોરિયા ક્રોસ વિજેતા પ્રથમ મુસ્લિમ સૈનિકની કદરની માગ

લંડનઃ બ્રિટિશ આર્મીના બે પૂર્વ વડા- જનરલ લોર્ડ ડન્નાટ અને જનરલ લોર્ડ રિચાર્ડ્સે પ્રથમ વિશ્વ યુદ્ધના શહીદ અને વિક્ટોરિયા ક્રોસ એવોર્ડના પ્રથમ મુસ્લિમ વિજેતા સૈનિક ખુદાદાદ ખાનની બહોળી કદર કરવાની માગણી કરી છે. 

એક તરફ ભારતીય ક્રિકેટ પ્રતિભાશાળી ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવ વડે સિદ્ધિના નવા સીમાડાઓ સર કરી રહ્યું છે ત્યારે બીજી તરફ, આ રમત સાથે સંકળાયેલા કેટલાક મુઠ્ઠીભર તત્વો અંગત આર્થિક હિતોને સાધવા આ જ રમતને બટ્ટો લગાવી રહ્યા છે. આઇપીએલ ટુર્નામેન્ટમાં મેચફિક્સિંગના આરોપોની તપાસ કરી રહેલી જસ્ટિસ મુદ્દગલ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં આઇપીએલમાં ક્રિકેટની રમતના નામે ચાલતી ગોબાચારી ખુલ્લી પાડી છે. 

એન્ટિબાયોટિક્સનો પ્રતિકાર કરી શકે તેવા સુપરબગ્સ વધી રહ્યાની ચેતવણીઓ છતાં NHS દ્વારા પેશન્ટ્સને મોટા પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ અપાઈ રહી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. નિષ્ણાત ડોક્ટર્સની ચેતવણીઓને અવગણી હોસ્પિટલ્સ અને આઉટ ઓફ અવર્સ જીપી અનાવશ્યક પ્રીસ્ક્રિપ્શન્સમાં કાપ મૂકવામાં નિષ્ફળ રહ્યાં છે. આરોગ્ય સેવા અકલ્પનીય કિંમતી સ્રોત વેડફી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.