ગુજરાત 1975-77: સંઘર્ષ અને સંકલ્પની કટોકટી-કથા 30/06/2026 10:39 am Nilesh Parmar 1975ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, ‘મિસા’નો અટકાયતી કાયદો, ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, 37 હજાર પ્રકાશનોનું ગળું રૂંધવાનો અંધાધૂંધ પ્રયાસ, અખબારો અને સાહિત્ય પર પ્રતિબંધ, જપ્તી-જડતી, થર્ડ ડિગ્રીનો કટોકટી-વિરોધીઓ અને યુવકો પર જૂલમ, વિદેશી પત્રકારોની હકાલપટ્ટી, ઓલ ઈન્ડિયા રેડિયોનું સરકારી ભોંપુંમાં પરિવર્તન, પ્રેસ પરિષદનો સંકેલો, ત્રણ સમાચાર સંસ્થાઓનું એકમાં વિલીનીકરણ, સ્વાધીન ચુકાદો આપનારાં ન્યાયાધીશોની બદલી, જેલોમાં યોગ્ય સારવારના અભાવે 107 ‘મિસા’વાસી અને બીજા કાનૂન હેઠળ પકડાયેલાઓના મૃત્યુ...
સનાતન ધર્મના મૂલ્યો અને માનવજીવનની સાર્થકતા 01/07/2026 6:16 am Nilesh Parmar તાજેતરમાં અનુપમ મિશન-ડેનહામ ખાતે ગોસ્વામી 108 પરમ શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા હોવાથી પ.પૂ. સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યમાં એક ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સનાતન હિન્દુ ધર્મના પ્રખર અનુયાયી અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના હૃદયમાં રાખનારા અગ્રણી શ્રેષ્ઠી શ્રી પ્રદીપભાઈ ધામેચા, વલ્લભનિધિ યુકેના ચેરમેન અને હિન્દુ સનાતન મંદિરના મુખ્ય સ્થાને બિરાજમાન શ્રી નરેન્દ્રભાઈ ઠકરાર તેમજ શ્રીજી ધામ હવેલી - લેસ્ટરના ટ્રસ્ટીઓ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી અશ્વિનભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનુપમ મિશનના સંતો, ટ્રસ્ટીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહાવીર ફાઉન્ડેશનના કેન્ટન દેરાસરના ૧૪મા ધ્વજા મહોત્સવની ભક્તિસભર ભવ્ય ઉજવણી 01/07/2026 7:01 am Vikram Nayak મહાવીર ફાઉન્ડેશન દ્વારા પાંચ દિવસીય ૧૪મો ધ્વજા મહોત્સવ તા. ૫ જૂન ૨૦૨૬ થી ૨૯ જૂન ૨૦૨૬ દરમિયાન ખૂબ જ ભક્તિભાવ, ઉમંગ અને સંઘની એકતા સાથે ભવ્ય રીતે ઉજવાયો. પાંચેય દિવસ દરમિયાન ધાર્મિક વિધિ, પૂજન, ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વામિવાત્સલ્યના આયોજનોમાં મોટી સંખ્યામાં સંઘના સભ્યો, લાભાર્થી પરિવારો, મહાનુભાવો અને જૈન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો કેમ નથી? કાયદામાં ફેરફાર કરોઃ થરુર 30/06/2026 10:29 am Nilesh Parmar ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો ન હોવા અંગે રાષ્ટ્રીય ચર્ચા છેડાઇ છે ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરે કેન્દ્ર સરકારને આ બાબતે જરૂરી સુધારા કરવાની માંગ કરી છે.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આ ફળો તમારી મદદ કરશે 25/06/2026 11:55 am Nilesh Parmar આજની દોડધામ ભરેલી જિંદગી અને ખરાબ આહારના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કોમન બની ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ સંબંધિત જીવલેણ તકલીફ જેમ કે હાર્ટ અટેક, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ધમનીઓમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરવામાં કેટલાક ફળ મદદ કરી શકે છે. આ ફળથી કોલેસ્ટ્રોલ બહાર નીકળવા લાગે છે. હાર્ટ સ્વસ્થ રહે છે.