સબસે ‘ઊંચી’ પ્રેમસગાઇ... 04/07/2026 7:18 am Nilesh Parmar ન્યૂયોર્કમાં આવેલી વિખ્યાત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના 1454 ફૂટ ઊંચા એન્ટેના પર કોઇ પણ જાતના સુરક્ષા સાધનો વગર ચઢી જવું અને ત્યાં જઇને એકમેકને જીવનભરનો સાથ નિભાવવા માટે પ્રપોઝ કરવું... કોઇ વાત કરે તો પણ લાગે કે કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના, પણ આટલા ઊંચી ઇમારત પર જોખમી રીતે ચઢવાનું આવું (દુઃ)સાહસ એક રશિયન કપલે કરી દેખાડ્યું છે.
ભારત-ઈઝરાયલ દ્વિપક્ષીય રોકાણ કરાર અમલી 08/07/2026 7:32 am Badal Lakhlani ભારત-ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય કરાર બંને દેશોમાં સુરક્ષિત અને ભાંખી શકાય તેવું રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરશે. આ કરાર શનિવારથી અમલમાં આવ્યો હોવાનું નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
અહમની અથડામણ... કોણ સાચું? 08/07/2026 7:41 am Vikram Nayak સત્ય ઘટનાઓ પર આધારિત આ કોલમમાં આપણાં કુટુંબોમાં થતાં મતભેદ વાદ-વિવાદના રવાડે ચડી ઘરની શાંતિ જોખમાવતા હોય છે. તેમાંય ખાસ કરીને માનવીનો “ઇગો” અહંકાર આડે આવતાં વાતનું વતેસર બની જતું હોય છે. જીવનમાં બનતી આવી રોજબરોજની ઘટનામાંથી બોધ લેવા જેવો છે. આ વાંચીને વાચકોને થાય કે, ઓ..આ તો મારી જ વાત છે. તો ચાલો આજે આ નવી કોલમનો શુભારંભ કરીએ. (વાર્તામાં નામો કાલ્પનીક છે).
એચડીએફસી બેંકમાં જિગર શાહની 'જનરલ કાઉન્સેલ-ડેઝિગ્નેટ' તરીકે નિમણૂક 07/07/2026 11:04 am Arnold Christie ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક દ્વારા લીગલ અને કમ્પ્લાયન્સ નેતૃત્વને વધુ મજબૂત કરવાના હેતુથી નાણાકીય સેવા ક્ષેત્રના અનુભવી નિષ્ણાત જિગર શાહની 'જનરલ કાઉન્સેલ-ડેઝિગ્નેટ' તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આખરે ભારતીય સૈનિકોની શહાદતને માન્યતા 07/07/2026 11:02 am Arnold Christie પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે.
ભરૂચની જામા મસ્જિદનો વિવાદ પાકિસ્તાન સુધી પહોંચ્યો 08/07/2026 7:23 am Badal Lakhlani ભારતમાં મંદિર-મસ્જિદ સંબંધિત વિવિધ વિવાદો વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. પાકિસ્તાનના પૂર્વ હાઇકમિશનર અબ્દુલ બાસિતના સોશિયલ મીડિયા પર કરાયેલા નિવેદન બાદ આ મુદ્દે રાજકીય અને ધાર્મિક ચર્ચાઓ તેજ બની છે.
ગરમીના દિવસોમાં પાચનતંત્ર સાચવો, અનેક તકલીફો ટાળો 03/07/2026 9:40 am Nilesh Parmar ઉનાળાના દિવસો અબાલવૃદ્ધ સહુકોઇ માટે આકરા સાબિત થતા હોય છે. વળી, આ વર્ષે તો ઉનાળાના આરંભે જ અંગદઝાડતી ગરમીએ લોકોને રાડ પડાવી દીધી છે. હિટવેવમાં બ્રિટન સહિત સમગ્ર યુરોપ લપેટાયું હતું. આ માહોલમાં આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે, અને આરોગ્ય સંભાળનું પહેલું પગથિયું છે સુચારુ પાચનતંત્ર. બહારનું તાપમાન વધવાની સીધી અસર પાચન તંત્ર પર પડે છે. ઘણીવાર, ઉનાળાના મોસમમાં, ભોજન પછી તરત જ પેટમાં બળતરા, એસિડિટી કે ભારેપણું અનુભવાતું હોય છો. જો તમે પણ આવું અનુભવો છો, તો આ પેટની ગરમીનાં લક્ષણો છે.
વડનગરમાં તાના-રિરિને સ્મરણાંજલિઃ સંગીત સંગ્રહાલય સાકાર થયું 08/07/2026 7:22 am Badal Lakhlani વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજા નંબરનું ‘સંગીત સંગ્રહાલય’ તૈયાર થઈ રહ્યું છે. રૂ. 71.5 કરોડના ખર્ચે 6591 ચોરસ મીટરમાં તાના-રિરિની સ્મૃતિમાં 8 થિમેટિક ગેલેરી અને 360 ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન સાથે તૈયાર થયેલું આધુનિક મ્યુઝિયમ સંગીતની અનોખી સફર કરાવશે. એટલું જ નહીં કૃત્રિમ વાતાવરણમાં મલ્હાર રાગના સ્વરો સાથે હળવા વરસાદની અનુભૂતિ થશે, જે ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખૂલશે. નિયામક સંગ્રહાલય કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ બનેલા આ સંગીત સંગ્રહાલયને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ચાલુ મહિનામાં જ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આ પ્રકારનું પ્રથમ મ્યૂઝિયમ બેંગલુરુમાં આવેલું છે, જ્યારે બીજું વડનગરમાં તૈયાર થયું છે.