Advanced search


નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન 14 જુલાઈએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયા હતા. 49 વર્ષીય મેનન ઈમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને યુએસ સ્પેસ ફોર્સમાં કર્નલ છે. તેઓ રશિયન અંતરિક્ષ યાત્રીઓ પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના સાથે આઠ મહિનાના મિશનમાં જોડાયા છે. 

યુકે અને ભારત વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતની સૌથી મોટી દ્વિપક્ષીય વેપાર સંધિઓ પૈકીની એક છે. વેપાર કરારની સાથે જ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ તે જ દિવસથી લાગુ થશે.