ભારતમાં રૂ. 10 અને 20ની ચલણી નોટ પ્લાસ્ટિકની 29/07/2026 5:29 am Nilesh Parmar ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને ફીલ્ડ ટ્રાયલ માટે રૂ. 10 અને 20ની એક-એક અબજ, કુલ 2 અબજ પ્લાસ્ટિક (પોલિમર) બેન્ક નોટ જારી કરવાની મંજૂરી આપી છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં જવાબમાં આ માહિતી આપી હતી.
વરિષ્ઠ વિજ્ઞાનીઓની ‘ઇસરો’ને અલવિદાઃ એક જ વર્ષમાં 100થી વધુ રાજીનામાં પડ્યાં 29/07/2026 5:39 am Nilesh Parmar ભારતની ટોચની અવકાશ સંશોધન સંસ્થાન ‘ઇસરો’માં અનુભવી વૈજ્ઞાનિકોના રાજીનામાની હારમાળાએ ખળભળાટ સર્જ્યો છે. એક રિપોર્ટ મુજબ, છેલ્લા એક જ વર્ષમાં 100થી 120 વૈજ્ઞાનિકોએ ‘ઇસરો’ છોડી પ્રાઇવેટ કંપનીઓનો રસ્તો પકડ્યો છે. રાજીનામું આપનારા વૈજ્ઞાનિકોમાં ખૂબ જ મહત્ત્વના પ્રોજેક્ટ્સના ડાયરેક્ટર્સનો પણ સમાવેશ થાય છે. સરકાર પણ આ અહેવાલ બાદ સફાળી જાગી છે, અને રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને થતું નુકસાન રોકવા હવે વૈજ્ઞાનિકોના રાજીનામાને સરળતાથી મંજૂરી ન આપવાનો આદેશ કર્યો છે.
SKLP સંકુલની મુલાકાતે SGVPના વડા સ્વામી માધવપ્રિયદાસજી 29/07/2026 5:42 am Nilesh Parmar એસજીવીપી (સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ્)ના વડા પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ લંડનમાં નિર્માણાધીન શ્રી કચ્છી લેવા પટેલ (SKLP) સમાજના ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ માવજીભાઇ સહિત સમિતિના સભ્યોએ સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
એસજીવીપી દ્વારા હિન્દુ લાઇફ સ્ટાઇલ સેમિનાર 29/07/2026 5:49 am Nilesh Parmar લંડનમાં SSGP ગુરુકુળ દ્વારા આયોજિત હિન્દુ લાઇફ સ્ટાઇલ સેમિનારમાં હિન્દુ સ્ટડી સેન્ટર - ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષ શૌનકજી, હેરો-લંડનના મેયર યોગેશ તૈલી, કાઉન્સિલર કાંતિભાઇ રાબડિયા, કાઉન્સિલર આશીષ હાલાઇ, કાઉન્સિલર જયંતી પટેલ, કાઉન્સિલર મનોજ મિશ્રા, વાસ્ક્રોફ્ટ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર શશીભાઇ વેકરિયા, કિંગ્સ કિચનના ડાયરેક્ટર મનુ રામજી તથા નારણ રાબડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ધોની હવે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર 29/07/2026 5:31 am Nilesh Parmar જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ ડિરેક્ટર (ઇન્ટરનેશનલ ઓપરેશન્સ) શામલાલ અહમદ અને રુઝાન એશર
પૂ. મહંત સ્વામી મહારાજનું સાળંગપુર વિચરણ 29/07/2026 5:46 am Nilesh Parmar બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા કેટલાક સમયથી બોટાદ તાલુકાના સાળંગપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રાતઃ પૂજા વેળા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ચરણોમાં પુષ્પ પધરાવતા સ્વામીશ્રી.
સંસ્થા સમાચાર (અંક 01 ઓગસ્ટ 2026) 29/07/2026 5:55 am Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...