બ્રિટનના ગુજરાતી સમાજની માળાનું હસતું મોતી ‘GCS-બ્રાઇટન’ 12/08/2026 7:13 am Badal Lakhlani ગુજરાત સમાચારની ખાસ ઝૂમ ઇવેન્ટ ‘સોનેરી સંગત’ બ્રિટનમાં વસતા ગુજરાતી સમાજને એક સાંસ્કૃતિક દોરાથી જોડતી યાત્રા બની ગઈ છે. આ જ દોરાના મણકારૂપ આપણે લેસ્ટર અને પ્રેસ્ટનને પરોવ્યાં અને હવે બ્રાઇટનને આ માળામાં પરોવી રહ્યા છીએ. જે અંતર્ગત બ્રિટનના એક બાદ એક શહેરમાં વસતા ગુજરાતી સમાજની સેવા, સંસ્કૃતિ અને સમર્પણને આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યાં છે.
ભારત અને યુકેના સંબંધોનું ઘડતર લોકો અને સમુદાયો થકીઃ હાઈ કમિશનર પી. કુમારન 12/08/2026 7:22 am Achyut Sanghavi યુનાઇટેડ કિંગ્ડમમાં ભારતના નવા હાઈ કમિશનર પી.કુમારને, 13 મે 2026ના રોજ પદ સંભાળવા સાથે 9 જૂને કિંગ ચાર્લ્સ તૃતીય સમક્ષ ઓળખપત્ર રજૂ કર્યા હતા. ભારતીય વિદેશ સેવામાં 1992ની બેચના અધિકારી તરીકે તેઓ યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને ઉત્તર અમેરિકામાં ત્રણ દાયકાથી વધુનો રાજદ્વારી અનુભવ ધરાવે છે. ભારત 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસે હાઈ કમિશનર સાથે ભારતીય ડાયસ્પોરા, ભારતની યાત્રા, તેની વૈશ્વિક ભાગીદારી અને ભાવિ માર્ગ અંગે વિશેષ વાતચીત કરી હતી, તેના અંશો અહીં સામેલ છે..
ઓગસ્ટમાં સ્મરણ ભારતીય ‘સ્વાતંત્ર્યરાણીઓ’નું... 11/08/2026 5:47 am Nilesh Parmar પંદરમી ઓગસ્ટ આવી રહી છે. લાલ કિલ્લા પરથી ઉત્સવ ઉજવવામાં આવશે, સૈનિકો સલામી આપશે, ત્રિરંગો ફરકશે. ઉદ્દ્બોધન થશે અને રાષ્ટ્રગીત ગવાશે. જય હિન્દ! અને ભારત માતા કી જય!ના નારાથી આકાશ ગુંજશે. સૈનિકી વિમાનો આકાશમાં કરતબ બતાવશે.
મહર્ષિ અરવિંદનું ઐતિહાસિક ઉત્તરપાડા પ્રવચન 12/08/2026 7:29 am Achyut Sanghavi મહર્ષિ અરવિંદને 6 મે, 1909ના રોજ અલીપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને દેશના વિવિધ ભાગોમાંથી પ્રવચન આપવાનાં આમંત્રણો પ્રાપ્ત થઈ રહ્યાં હતાં. ઉત્તરપાડામાંથી તેમના ક્રાંતિકારી શિષ્ય અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને ભાવિક સમર્થક રાજેન્દ્રનાથ મુખરજીએ તેમની સંસ્થા ધર્મ રક્ષિણી સભાના વતી આવું જ આમંત્રણ આપ્યું હતું. મહર્ષિ અરવિંદે અગમ્ય કારણોસર ધર્મ રક્ષિણી સભાનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. મહર્ષિ અરવિંદને સાથે લાવવા અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય 30 મે, 1909ના રોજ જાતે જ કલકત્તા ગયા હતા.