ટાટા સન્સના ચેરમેનપદેથી ચંદ્રશેખરનનું રાજીનામુંઃ અનુગામી તરીકે ટાટા સ્ટીલના નરેન્દ્રનનું નામ મોખરે 19/08/2026 6:55 am Nilesh Parmar 400 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની પ્રિન્સિપાલ હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બુધવારે હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભારતીય ઉદ્યોગ સમૂહમાં હલચલ મચી ગઇ છે. જોકે, ચંદ્રશેખરન તેમની ટર્મ પૂરી કરશે અને ફેબ્રુઆરી 2027 સુધી તેઓ ટાટા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે. ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ મુદ્દે ટાટા ટ્રસ્ટ સાથે સહમતિ સધાઈ શકી નહોતી. નવા ઉદ્યોગોમાં જંગી રોકાણ, તેમના પ્રદર્શન અને ટાટા સન્સના ભવિષ્ય મુદ્દે મતભેદો ચંદ્રશેખરનના રાજીનામાનું કારણ બન્યા છે. તેમના રાજીનામાને પગલે ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો.
રિલાયન્સ અને રોલ્સ રોયસે હાથ મિલાવ્યા ભારતમાં ફાઇટર જેટનાં એન્જિન બનાવશે 19/08/2026 6:56 am Nilesh Parmar ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા તથા દેશના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં મહત્ત્વના પગલાં અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ દેશના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે સ્વદેશી યુદ્ધ એન્જિનની ડિઝાઈન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે બ્રિટનની દિગ્ગજ કંપની રોલ્સ-રોયસ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.
રાજકોટમાં પિતાએ એકના એક પુત્રની હત્યા કરી 19/08/2026 7:05 am Badal Lakhlani આહિર ચોક પાસેના નહેરુનગરની શેરી નંબર-8માં બાબુભાઈ સવસેતાએ પોતાના એકના એક દીકરા રામની ઊંઘમાં જ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી છે. પિતા બાબુભાઈએ અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી પુત્ર રામનો જીવ લઈ લીધો. ત્યારબાદ પિતાએ જાતે જ ફોન કરીને પોલીસ બોલાવી હતી. આમ રક્ષાબંધનના 15 દિવસ પહેલાં જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. ભક્તિનગર પોલીસની તપાસમાં જણાયું હતું કે, છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનનાં માતા રિસામણે હોવાથી પિતા-પુત્ર ઘરે એકલા રહેતા હતા.