પલસાણામાં બોગસ સોદાચિઠ્ઠીથી NRIની જમીન વેચવાનું ષડયંત્ર

Friday 06th May 2016 07:47 EDT
 

બારડોલીઃ હાલ સાઉથ આફ્રિકામાં વસતા દક્ષિણ ગુજરાતના એનઆરઆઇની વતનમાં આવેલી લગભગ ૧૨ વીઘા જમીન બોગસ સોદાચિઠ્ઠીના આધારે વેચી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે. પલસાણા તાલુકાના અંભેટી ગામની સીમમાં બ્લોક નં ૪૯૭ તથા ૪૧૬ની ૩૬,૫૨૩ ચોરસ મીટર જમીન હાલ સાઉથ આફ્રિકાના કેપ્ટાઉનમાં રહેતા અરુણ રતનજી પટેલ ગામના એનઆરઆઈના નામે છે. અરુણભાઇની આ વડીલોપાર્જિત જમીન પર ઠાકોરભાઈ માધવભાઈ રાઠોડ, નટુભાઈ માધવભાઈ રાઠોડ અને ગુર્જનભાઈ માધવભાઈ રાઠોડની નજર બગડી હતી. આથી તેઓ બોગસ સોદાચિઠ્ઠી બનાવીને મહેસૂલ ભરતા હતા. આ પછી તેમણે જમીન વેચવાની પેરવી કરતા ૩૦ એપ્રિલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી, જેના આધારે પોલીસે ત્રણેય ભાઈઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter