ભારતના ભાગલાના સ્વીકારનો કમનસીબ દિવસ... 23/06/2026 8:25 am Nilesh Parmar કેટલાક દિવસો સમાજ અને દેશને માટે નિર્ણાયક બની જતા હોય છે. યુદ્ધોમાં હાર કે જીત એવી ઘટના હોય છે, પણ કોઈ એક ઇમારતમાં બેસીને થોડાક નેતાઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને અસર કરતો કોઈ દુર્ભાગી નિર્ણય લે તે સૌથી વધુ ઐતિહાસિક કરુણાંતિકાનો દિવસ છે. 14-15 જૂન એવો જ એક દિવસ હતો.
વિન્ચેસ્ટર કોલેજ દ્વારા ભારતીય ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીનું સન્માન 23/06/2026 10:22 am Arnold Christie વિન્ચેસ્ટર કોલેજના વાર્ષિક ગ્રીષ્મ ઉત્સવ 'વાઈકહામ ડે'ના ભાગરૂપે ક્રિકેટ પેવેલિયન હંટર ટેન્ટ ખાતે 13 જૂનના રોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટાઇગર પટૌડી તરીકે ખ્યાતનામ એવા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને પટૌડીના નવાબ એવા મન્સૂર અલી ખાન પટૌડીના નામની તક્તીનું અનાવરણ કરી સન્માન કરાયું હતું.
નાઈરોબીમાં 12મો ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવાયો 24/06/2026 6:39 am Achyut Sanghavi કેન્યાના ભારતીય હાઈ કમિશન દ્વારા નાઈરોબીના ઓશવાલ સેન્ટર ગ્રાઉન્ડ્સ ખાતે 21 જૂન 2026ના રોજ 12મો ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા (IDY) ઉજવાયો હતો જેમાં 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટ કેન્યામાં સૌથી મોટી યોગ ઉજવણીઓમાં એક બની રહ્યો હતો. આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે.
રૂ. 1200 કરોડના ખર્ચે આકાર લઈ રહેલો ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં 24/06/2026 6:32 am Badal Lakhlani 55 એકરમાં ફેલાયેલા ગાંધીઆશ્રમને રૂ. 1200 કરોડમાં તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ઓક્ટોબર 2027 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. હાલ ગાંધીજીના સમયનાં 23 મકાનનું કામ પૂરું થઈ ચૂક્યું છે. એક્ઝિબિશન માટે જરૂરી ટેન્ડર પણ આપી દેવાયાં છે. આ બિલ્ડિંગ આગામી 3 મહિનામાં હરિયાળીથી આચ્છાદિત થઈ જશે. અહીં એક તળાવ પણ વિકસાવાયું છે, જેને વરસાદી પાણીથી ભરવાની પણ વ્યવસ્થા છે.
એસએનપીમાંથી 4 લાખ પાઉન્ડની ઉચાપત માટે પીટર મ્યુરેલને 5 વર્ષની કેદ 23/06/2026 10:07 am Arnold Christie સ્કોટિશ નેશનલ પાર્ટીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી 4,00,000 પાઉન્ડથી વધુ રકમની ઉચાપત કરવાનો ગુનો કબૂલ્યા બાદ પીટર મ્યુરેલને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
સંઘપ્રદેશ દીવ-દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલનાં પત્નીનું નિધન 24/06/2026 6:39 am Badal Lakhlani સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલનાં ધર્મપત્ની ભાવનાબહેન પટેલનું નિધન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અવસાનના સમાચાર મળતાં જ દેશભરના આગેવાનો દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ.