Advanced search


વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસે આત્મ રક્ષણ કરતાં ઠાર કરાયો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી. આ સમયે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુથી હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.

6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. આ સ્થિતિના પગલે રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. પૂરનાં પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500થી લઈ રૂ. 1 લાખ સુધીની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂ. 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરાઈ છે.

મહેસાણાના ઐતિહાસિક વડનગરને વધુ એક વૈશ્વિક ગૌરવ મળ્યું છે. ઈટાલીના કોમો શહેરમાં યોજાયેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ડિઝાઈન એવોર્ડ સમારોહમાં અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને કલ્ચરલ હેરિટેજ એન્ડ કલ્ચર ઇન્ડસ્ટ્રી ડિઝાઈન કેટેગરીમાં સર્વોચ્ચ ‘પ્લેટિનમ A' ડિઝાઈન એવોર્ડ એનાયત કરાયો. વિશ્વના હજારો ડિઝાઈનર્સ વચ્ચે આ મ્યુઝિયમની ડિઝાઈન સર્વશ્રેષ્ઠ ઠેરવાઈ.

વસ્ત્રાલથી ગતરાડ જતાં મહેમદપુરા કેનાલ પાસે ખુલ્લા ખેતરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભરેલા 555 પ્રકારના બોમ્બના વિશાળ જથ્થામાં કોઈ કારણે વિસ્ફોટ થયો હતો. ભયાનક વિસ્ફોટના કારણે બે ખુલ્લા શેડમાં ફટાકડા બનાવતા દાહોદના 5 શ્રમિક પરિવારોના 15 લોકો દાઝ્યા હતા, જે પૈકી 3 મહિલા, 3 બાળકો અને 3 પુરુષોનાં મૃત્યુ નીપજ્યાં છે. નવગુજરાત ફાયર વર્ક્સ નામની ફટાકડા ફેક્ટરી ચલાવતા મેહુલ ડોડિયા નામના શખ્સ સામે સાઅપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધવા સહિત રામોલ પોલીસે કેસ નોંધ્યો છે. મોડીરાતે પોલીસે મેહુલ ડોડિયા સહિત 3 લોકોને ઝડપી તપાસ શરૂ કરી છે. 

Vadnagar Archaeological Museum receives ‘Platinum A’ award

Vadnagar Archaeological Museum receives ‘Platinum A’ award

anand vasad aaropi suresh parmar

anand vasad aaropi suresh parmar

Surat Poddar Arcade2

Surat Poddar Arcade2

rain

rain

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સોમવારે સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 7.72 ઇંચ ખાબક્યો હતો, જ્યારે વલસાડના પારડીમાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 15 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયા છે, જેને પગલે કેટલાક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

જિલ્લામાં સિંહોના માનવવસાહત તરફ વધતા આવાગમન વચ્ચે તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા રબારિકા ગામે રવજીભાઈ સેંજલિયા પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક સિંહ ઘરમાં ઘૂસી આવ્યો અને તેમના પર હુમલો કર્યો. હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ રબારિકા ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે.