અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    ભારતીય રાજકારણને સંપૂર્ણપણે પચાવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રીતસર પોતાના વશમાં કર્યું છે. એ વડા પ્રધાન હોવાની સાથે જ ભારતીય જનતા પક્ષના એકમેવ તારણહાર છે.

    હમણાં અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર ડી. દેસાઈએ પરિપત્ર બહાર પાડીને કહ્યુંઃ મહાપાલિકાની શાળાઓમાં વસંત પંચમીના દિવસે એટલે કે મહા સુદ પાંચમે (૨૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ) ‘વિદ્યા, કળા, જ્ઞાન અને સંગીતની દેવી’ ‘મા સરસ્વતી’ના પૂજન સાથે જ વિદ્યા મેળવીને એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરીને જીવનનાં તમામ શિખર સર કરી શકાય છે તેવું વિદ્યાર્થીઓ સમજે તે હેતુથી આ દિવસે પ્રાર્થના સંમેલનમાં મા સરસ્વતી પૂજન કરવું તેમ જ સરસ્વતી વંદના કરવી અને તે થકી જ્ઞાનપ્રાપ્તિનો સંકલ્પ કરાવવો. વસંત પંચમી દિવસ જુદાં જુદાં રાજ્યો કેવી રીતે ઉજવે છે તેની માહિતી પ્રાર્થના સંમેલનમાં આપવી.