બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

હંમેશા કંઇક નોખું-અનોખું કરતા રહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોના જતન-સંવર્ધન માટે ‘ઔપચારિક ચર્ચા’નો અભિગમ અપનાવ્યો છે.

આજ - કાલ કરતાં કરતાં મોદી શાસનને ચાર વર્ષ પૂરાં પણ થઇ ગયાં. લોકસભા ચૂંટણી આડે માંડ એક વર્ષ રહ્યું હોવાથી સરકારની ચાર વર્ષની કામગીરીના લેખાંજોખાં શરૂ થઇ ગયા છે. દરેક સરકારની જેમ મોદી સરકાર પણ તેની સિદ્ધિઓની લાંબી યાદી ગણાવી રહી છે. અને હંમેશની...

કર્ણાટકમાં એ બધેબધું જ થયું, જે કોઇ ઇચ્છતું નહોતું. કર્ણાટકના મતદાતાઓ સત્તા માટેની આવી વરવી સોદાબાજી જોવાનું નહોતા ઇચ્છતા, અને ના તો ભાજપ અને કોંગ્રેસ સત્તા માટેની આવી ખેંચતાણ ઇચ્છતા હતા. ભાજપની દિલ્હીમાં બેઠેલી ટોચની નેતાગીરી જે ઇચ્છતી હતી...

પાકિસ્તાનના પદભ્રષ્ટ વડા પ્રધાન નવાઝ શરીફે ૨૬/૧૧ના મુંબઇ હુમલામાં પોતાના દેશનો હાથ હોવાનું સ્વીકારી શરાફત દેખાડી ને કલાકોમાં જ પાક. સરકારે આ વાત નકારી પણ દીધી. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે મીડિયા અને ભારત સરકારે શરીફની વાતને સમજવામાં ભૂલ...

કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક મહિનામાં સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી હાથ ધરીને આતંકવાદીઓ પર ચોમેરથી ભીંસ વધારી છે. આથી અલગતાવાદી પરિબળોએ હવે બાળકો અને પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં શ્રીનગર-ગુલમર્ગના નરબલમાં પથ્થરબાજોએ કરેલા...

કર્ણાટકમાં ચૂંટણી જંગ જામ્યો હતો તે માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઇ આવ્યા, અને તે પણ કોઇ ઔપચારિક બેઠકના આયોજન વગર જ. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૪ કલાકમાં ૬ વખત મળ્યા, ૯ કલાક સાથે રહ્યા. નૌકાવિહાર કર્યો, સાથે ભોજન કર્યું...

કર્ણાટકમાં ચૂંટણી વિધાનસભાની છે, પરંતુ તેના પર નજર દેશઆખાની છે. કારણ સ્પષ્ટ છે આ રાજ્યની ચૂંટણીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સાથે સાંકળીને મૂલવવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કર્ણાટકના પરિણામો પરથી આગામી લોકસભા ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેશે...

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી...

વાળ્યા ન વળે તે હાર્યા વળે. ભારતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે રજૂ કરેલી મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) પ્રસ્તાવનો કંઇક આવો જ તાલ થયો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે એકસંપ થઇ રાજ્યસભા અધ્યક્ષ વેન્કૈયા નાયડુ સમક્ષ...

ભારતમાં હવે ૧૨ વર્ષથી નાના બાળકો સાથે દુષ્કર્મ આચરનાર હેવાનોને મૃત્યુદંડ જેવી કઠોર સજાની જોગવાઇ અમલી બની છે. બળાત્કારીઓને આકરી સજાની જોગવાઇ ધરાવતા આ વટહુકમને શનિવારે મોદી સરકારે બહાલી આપી ને બીજા દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી. અગાઉ...



to the free, weekly Gujarat Samachar email newsletter