દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

વળી પાછી સુભાષચંદ્ર બોઝના કહેવાતા વિમાની અકસ્માત અને તે પછીનાં જીવન વિશેની, સરકાર પાસે પડેલી ‘ફાઇલો’ની ગુપ્તતાનો પ્રશ્ન વાવંટોળે ચડ્યો છે.

ગુજરાત વિધાનસભાએ ‘ગુજકોક’ને નવેસરથી પસાર કર્યો તેની ગંભીરતા કમનસીબે ખાસ ચર્ચામાં આવી નથી. ઊલટાનું, આવા વિધેયકની કોઈ જરૂર જ નહોતી એવા અભિપ્રાયો ચમકતા રહ્યા.

ગુજરાતમાં કોંગ્રેસને હવે નવા પ્રમુખ મળ્યા. જોકે ભરતસિંહ સોલંકી કોંગ્રેસને માટે નવા નિશાળિયા નથી. માધવસિંહ સોલંકીના પુત્ર ઉપરાંત કોંગ્રેસમાં એક મહત્ત્વના નેતા તરીકે તેમણે સંસદ સભ્ય, કેન્દ્રીય પ્રધાન સહિતની ઘણી કામગીરી બજવી છે.

એક નવી - અને રમુજ પેદા કરે તેવી - વાત આ વખતે ગુજરાત વિધાનસભામાં સાંભળવા મળી, તેની ચર્ચા પૂર્વે વર્તમાન વિધાનસભાની રસપ્રદ તસવીર પણ નિહાળવા જેવી છે. આ વિધાનસભાએ આમ તો અનેક રંગ-ઢંગ દેખાડ્યા છે. ૧૯૬૦માં નવું ગુજરાત રાજ્ય થયું ત્યારે વિધાનસભાનું...

૨૩ માર્ચના વાસંતી દિવસોમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ તેને ૮૫ વર્ષ વીતી ગયાં. ગુજરાતનો તેની સાથેનો સંબંધ મને વડોદરાના માર્ગો પર લઈ...

લંડનના પાર્લામેન્ટ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાઈ તે દિવસે ગુજરાતમાં એક ‘ગાંધીજન’ (‘ગાંધીવાદી’ નહીં, કેમ કે એ શબ્દે દેશની સ્વતંત્રતા પછી એક સ્વાર્થી...

ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની સાચી રીતે ઓળખ અપાવવા મથનારાઓને હું કાયમ સલામ કરું છું. ‘ગુજરાત સમાચાર’ એવી ધૂણીને ધખાવી બેઠું છે એનું શ્રેય તેમના સર્વેસર્વા...

કચ્છમાં ત્રણ દિવસ માટે ‘કચ્છ વાયબ્રન્ટ’નો સરસ પ્રયોગ થયો. ઇન્ડેક્સ-બી, જીજીઆઇકે, ગ્લોબલ નેટવર્ક અને બીજી કેટલીક સંસ્થા સંગઠનોના સહયોગથી આ પરિષદ યોજાઈ તેમાં વિશ્વ ગુજરાતી સમાજ પણ સામેલ થયો. કચ્છના વ્યાપારી મહામંડળે આયોજન કર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાતની જેમ હવે વાઇબ્રન્ટ કચ્છ પણ આ મહિનાના અંતે ભૂજની લાલન કોલેજનાં પ્રાંગણમાં ઊજવાશે. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી અને માર્ચની પહેલી તારીખ - એમ ત્રણ દિવસના આ કાર્યક્રમમાં કચ્છના અધિક વિકાસની સાથે તેના ઇતિહાસ-સંસ્કૃતિને ય આવરી લેવાશે.

આમ આદમી પાર્ટી (‘આપ’) દિલ્હીમાં જીતી એટલે તેનામાં ગુજરાતમાં યે ‘કંઈક કરી બતાવવા’નું જોમ આવી ગયું! સામ્યવાદીઓ માટે મજાકમાં - અગાઉના વર્ષોમાં - કહેવાતું કે વરસાદ મોસ્કોમાં પડે અને બિરાદરોની છત્રી માણેક ચોકમાં ખૂલે!