Search Results

Search Gujarat Samachar

ભારતના અનેક નાના-મોટા રાજ પરિવારોની જેમ આ ‘મહારાજા’ પણ આર્થિક કંગાલિયતનો સામનો કરી રહ્યા છે. આઝાદીવેળા આ રાજ પરિવારો અધધધ સંપત્તિમાં આળોટતાં હતાં. આજે તેમને અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બન્યું છે. આવી જ હાલત ‘મહારાજા’ એર ઇંડિયાની છે. બંનેની કંગાળ...

દસ વર્ષ બાદ બ્રિટન ફરી એક વખત ૨૨ મેના રોજ આતંકવાદી હુમલાથી ખળભળી ઉઠ્યું. એક હુમલાખોર આ વિસ્ફોટ થકી તેનો બદઇરાદો પાર પાડવામાં ભલે સફળ રહ્યો, પણ તે બ્રિટનવાસીના જુસ્સા, હિંમતને તોડી શક્યો નથી એ હકીકત છેને? લોકોનો આ અભિગમ કાયદો-વ્યવસ્થા જાળવવા...

સોમવારે સાંજે ભારતીય સમય પ્રમાણે બરાબર ૫.૨૮ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનેથી ૧૪૦ ફૂટ ઊંચા રોકેટે અંતરીક્ષ ભણી ઊડાન ભરી. પળેપળની આ બધી માહિતીનું ટીવી પરદે જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું. આ સિદ્ધિ ભારતીય વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ...

ભારત સરકારે દેશમાં ૧૦ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકીય હો-ગોકીરામાં આ સમાચારની ભલે ખાસ નોંધ લેવાઇ ન હોય, પરંતુ મોદી સરકારનો આ નિર્ણય દેશમાં વીજ પુરવઠા ક્ષેત્રે માગ અને પુરવઠા વચ્ચે પ્રવર્તતી ખાઇ પૂરવામાં...

પાકિસ્તાનના જૂઠાણાંનો વધુ એક વખત જગતચોતરે પર્દાફાશ થયો છે. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ ઠરાવીને તેમને ફાંસીના માંચડે લટકાવી દેવાના આદેશ સામે મનાઇહુકમ ફરમાવી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)એ પાકિસ્તાનને જોરદાર આંચકો આપ્યો છે. ભલે આ...

મોદી સરકારે ૨૬ મેના રોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ ત્રણ વર્ષમાં તેની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ? કહી શકાય કે તેણે પ્રજામાંથી નિરાશાનો, હતાશાનો માહોલ દૂર કર્યો છે. આશા-ઉમંગનો સંચાર કર્યો છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વેળા દેશમાં નિરાશાનો માહોલ...

આયર્લેન્ડમાં ભારતીય પિતા - આઇરિશ માતાના પુત્ર લિયો વરાડકરે વડા પ્રધાન પદ સંભાળ્યું છે. તેમના પિતા મુંબઇથી ડોક્ટર થઇને આયર્લેન્ડ જઇ ઠરીઠામ થયા હતા. લિયો વર્ષોથી ફાઈન ગેઇલ નામના મુખ્ય પક્ષ સાથે સંકળાયેલા હતા. ૨૦૦૭માં બીજા એક પક્ષ બર્ટી અહરના નેતા...

થોડાંક વર્ષ પૂર્વે ભારતની રાજકીય ક્ષિતિજે આમ આદમી પાર્ટી (‘આપ’)નો ઉદય થતાં જ લોકોને કંઇક આશાસ્પદ રાજકીય વિકલ્પ મળવાની આશા જાગી હતી. લોકોને વધુ ભ્રષ્ટાચારમુક્ત, અસરકારક વહીવટ આપે તેવું શાસન મળવાની અપેક્ષા હતી. અરવિંદ કેજરીવાલ લોકનજરમાં છવાઇ ગયા...

રામજન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારતની સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ રજૂ કરેલી અરજી સ્વીકારતાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા...

પાકિસ્તાની સૈન્યે ફરી એક વખત તેની હેવાનિયત દર્શાવીને બે ભારતીય જવાનોના મૃતદેહોને ક્ષત-વિક્ષત કરી નાખ્યા છે. આ જવાનો ભારત-પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર પૂંચ સેક્ટરમાં કૃષ્ણા ઘાટી ખાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની...