સરદાર વલ્લભભાઈ પટેલ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર ડો. બાબાસાહેબ આંબેડકરને ‘રાષ્ટ્રનાયક’ ગણવાની વ્યાપક ઝુંબેશમાં જોતરાઈને ભારતીય પ્રજાજનોના ઘણા મોટા વર્ગ એટલે કે દલિત વર્ગને રાજી કરવાની વેતરણમાં હોવાનું અનુભવાય છે.
અતીતથી આજ
Block: Site: Subtree Block
બાંગલાદેશમાં સંસદની ચૂંટણી આવતે મહિને યોજાય એ પહેલાં ઘણી આસમાની સુલતાની થઇ રહી છે: વર્તમાન વડા પ્રધાન શેખ હસીના વાજેદને પરાજિત કરવા માટે જેલવાસી ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના લંડનવાસી પુત્ર તારિક રહેમાન વીડિયો કોન્ફરન્સિંગ પર તેમના પક્ષના ઉમેદવારો પસંદ કરવા ઇન્ટર્વ્યૂ લઇ રહ્યા છે.
વાજપેયીની ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત’ની વાતનું રાજકીય પક્ષો અને પ્રજા થકી આદરથી સ્મરણ
પવિત્ર ગંગા નદી હવે અબજોના ખર્ચે પણ શુદ્ધ થતી નથી. ગુજરાતીમાં તો ભ્રષ્ટાચાર સાથે ગંગોત્રીનું નામ પણ જોડાઈ જ ગયું છે. અઢી હજાર વર્ષ પહેલાં થઇ ગયેલા અને ‘પૂર્વના મેકિયાવેલી’ તરીકે ઓળખાયેલા કૌટિલ્યે લખેલા રાજયશાસન વ્યવસ્થા (પોલિટી) અંગેના ગ્રંથ ‘અર્થશાસ્ત્ર’ની એકાદ સદી પહેલાં મળેલી હસ્તપ્રત પછી દુનિયાભરમાં એની ચર્ચા રહી. કૌટિલ્ય પણ શાસન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર હોય જ એવું લખે છે, પણ એને નાથવાના ઉપાયો જરૂર સૂચવે છે.
ભારતનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચારનો સ્તર કેવો રહ્યો એ વિશે કંઇ કહેવા જેવું નથી, પણ ‘ભારતમાતા કી જય’ના મુદ્દે કેવા વરવા વિવાદ સર્જાયા એ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વિપક્ષ કોંગ્રેસ બેઉને માટે શરમજનક કહી શકાય.
પાંચ રાજ્યોમાં ભાજપના પરાજય અને ત્રણમાં કોંગ્રેસના વિજય છતાં રાહુલે ‘ભાજપમુક્ત ભારત’ના સૂત્રને નકાર્યું.
ઈશુનું નવું વર્ષ શરૂ થતાં જ પહેલો ઘા રાણાનો એ ન્યાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ભૂકંપ સર્જે એ રીતે સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપીને આગામી લોકસભાની ચૂંટણીનો એજન્ડા સેટ કરી દીધો.
મે ૨૦૧૪ની ચૂંટણીના વાયદા અધૂરા છે ત્યાં વચનોની લ્હાણીના નવા સાન્તાક્લોસ મેદાને
ઉત્તર ભારતમાં પ્રભાવી ગણાતા જાટ સમુદાયને મળેલા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) અનામતને સુપ્રીમ કોર્ટે રદ જાહેર કરતાં નવા રાજકીય ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આ મુદ્દે જાટ સમાજ આંદોલન માટે કટિબદ્ધ છે એટલું જ નહીં, યુપીએસસીની આઈએએસ-આઈપીએસની પરીક્ષાનાં તૈયાર પરિણામ સુપ્રીમના ચુકાદાથી અટવાઈ ગયાં છે.
ભારતીય લોકસભાની આગામી એપ્રિલ-મે દરમિયાન યોજાનારી ૧૭મી ચૂંટણી અનેક દૃષ્ટિએ નવાજૂની લઈને આવે એવા સંકેતો અત્યારથી મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્તમાન સત્તારૂઢ મોરચા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) સામે કોંગ્રેસના વડપણવાળા સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ)ને બદલે વિપક્ષોનું એક મહાગઠબંધન હોવા ઉપરાંત અન્ય પ્રાદેશિક પક્ષોનો મોરચો ભલે એનડીએને સત્તામાં આવતાં રોકવા માટે રચાય, પણ ફરીને કેન્દ્ર સરકાર તો પૂંછડિયા ખેલાડીઓના ઈશારે નર્તન કરનારી થવાની શક્યતા વધુ છે.
