ગુજરાતી રાજકારણમાં ભરચોમાસે પણ ગરમ હવાનો અનુભવ કરતી ઘટનાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કારણ સાફ છે. ઇસવી સન ૨૦૧૭ના અંત સુધીમાં તો - બીજી કોઈ આકસ્મિક ઘટના ન બને અને ચૂંટણી મુલતવી રાખવી ના પડે તો - ગુજરાતમાં નવી વિધાનસભા, નવી સરકાર, નવું પ્રધાનમંડળ... આ દૃશ્યની કલ્પનાએ રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ કરી દીધો.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
ગુજરાતની જિંદગીના સીમાડા જ ક્યાં છે? આનો અનુભવ વળી પાછો કોલકાતા મહાનગરમાં થયો. લગભગ વીસ વર્ષે ગયો હતો એટલે તેના આધુનિક વિકાસની તસ્વીર વિમાનમથકેથી ભવાનીપુર સુધી જતાં રસ્તામાં જ નજરે પડી. ઉંચી ઈમારતો, ધમધમતો વ્યવસાય, ઉભરાતા રસ્તાઓ, આધુનિક ઉદ્યાનો, હોસ્પિટલો, બસ અને મેટ્રો ટ્રેન, નવા અને જુના નાના અને મોટા બ્રીજ... હવે એકલા હાવડા બ્રિજનો જ મહિમા નથી રહ્યો.
સુરતનો મિજાજ લા-જવાબ છે. રોજિંદા જીવનમાં રંગપુરણી કરતા સુરતી લાલાઓએ તો રાષ્ટ્રીય ઇતિહાસ સર્જ્યો છે તેની ખબર તેમને ય કદાચ નથી. ૧૬ સપ્ટેમ્બરે ભગવતીકુમાર શર્માને ગુજરાત સાહિત્ય અકાદમીનું સર્વોચ્ચ સન્માન ‘સાહિત્ય રત્ન’ અર્પિત કરવાનું નિમિત્ત હતું. છેલ્લાં કેટલાક વર્ષોથી ભગવતીભાઈની આંખો ગઈ છે. શરીર પર કષ્ટનો પડછાયો છે. ઘરની બહાર જઈ શકતા નથી. એકાંતિક ગમગીનીમાં તેમનો સહારો ‘શબ્દ’ છે.
આ કોલમ લખી રહ્યો છું ત્યારે નવરાત્રિની ચતુર્થી ઊજવાઈ રહી છે. પ્રથમાએ તો રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન સહિત સૌએ ‘શક્તિવંદના’ તરીકે ભવ્ય ઉત્સવ કર્યો, શક્તિમાતાની આરતી ઉતારી ત્યારે તેમની સાથે અમદાવાદના હજારો દર્શકોએ પણ ‘જય ઓમ, જય ઓમ મા જગદમ્બે...’ને સમુહ સ્વરે પ્રાર્થી હતી.
ઓક્ટોબર-નવેમ્બર મહિનાઓ તમને બરાબર યાદ છે? ગુજરાતના ગુજરાતીઓને તો તેનું બરાબર સ્મરણ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીનાં નગારાં ધીમે ધીમે ગાજતાં થયાં છે ત્યારે તેનું સ્મરણ જરૂર થાય કે અગાઉ વર્ષના અંતે ચૂંટણી આવી હતી અને બે વાર તો, ૧૯૯૫-૯૬માં શાસક ભાજપ પક્ષમાં ઉથલપાથલ થઈ.
ચૂંટણીનાં વાદળ ‘ગોરંભાયા’ એમ કહીએ તો વધારે પડતી સાહિત્યિક વેવલાઈ ગણાશે, પણ ચારેતરફ હવે માત્ર અને માત્ર ચૂંટણીની ગતિવિધિ જ શરૂ થઈ ગઈ છે એ વાસ્તવિકતા છે. દીપોત્સવી અને નવા વર્ષના તહેવારોમાં ય તેનો રંગ જોવા મળ્યો.
ચૂંટણી-બજાર ધમધમવા માંડ્યું છે, તેને નોટબંધી કે જીએસટી કોઈ નડ્યાં નથી, બલકે એક ‘પાસ’-ભેરુએ તો મીડિયા સમક્ષ ૫૦૦-૫૦૦ની નોટોનાં દસ લાખનો ઢગલો કર્યો ને કહ્યું કે અમારા ભૂતપૂર્વ ‘પાસ’-ભેરુ ભાજપ-નેતાઓની સાથે સામેલ થઈને એક કરોડની લાંચ આપીને ભાજપમાં જોડાઈ જવાનું જણાવ્યું હતું. ખરેખર?
તરેહવારની તૈયારીથી ગુજરાતનું રાજકારણ ધમધમવા લાગ્યું છે. ડિસેમ્બરમાં તેની પરાકાષ્ઠા મતદાનના દિવસે આવશે. ગણતરીના પાટલા તો ક્યારના મંડાઈ ગયા. નવથી દસ ટકા મત ધરખમ બદલાવ લાવી શકે એમ પાછલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પ્રાપ્ત મતોની વચ્ચેના તફાવતથી ગણતરી કરાઈ રહી છે, પણ લોકસભા મતની ટકાવારીમાં તો ભાજપ હાથીની જેમ આગળ હતો તે ટકાવારીનું શું?
આમ આદમી પાર્ટી (‘આપ’) દિલ્હીમાં જીતી એટલે તેનામાં ગુજરાતમાં યે ‘કંઈક કરી બતાવવા’નું જોમ આવી ગયું! સામ્યવાદીઓ માટે મજાકમાં - અગાઉના વર્ષોમાં - કહેવાતું કે વરસાદ મોસ્કોમાં પડે અને બિરાદરોની છત્રી માણેક ચોકમાં ખૂલે!
કોંગ્રેસને બે કાંખઘોડી (બૈશાખી) મળી ગઈ છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની. ત્રીજી આ પક્ષે અનામત રાખી તે જીગ્નેશ મેવાણીની છે. આંદોલનોનો ઇતિહાસ તપાસીએ એટલે ખબર પડી જાય કે આ પાણીના પરપોટા જેવા નેતાઓ છે. પોતાના સ્વાર્થ કે અહંકારના કારણે ભાજપને કોઈ પણ ભોગે ખેરવવા માટે બેઠા છે. હાર્દિક સૌરાષ્ટ્રના પટેલોની વચ્ચે પ્રયાસ કરશે. અલ્પેશ ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વચ્ચે જશે. જીગ્નેશને કેટલીક ધરાર એનજીઓનો ટેકો છે એટલે નિવેદનો ઠપકાર્યા કરશે.
