તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    ઉરી ઘટના સરહદી ગુજરાતને માટે ય...
    કાશ્મીરના ઉરી વિસ્તારમાં આતંકવાદી હુમલાને કારણે સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેનો પડઘો ગુજરાતમાં ના પડે તો જ નવાઈ. કારણ સ્પષ્ટ છે. ગુજરાતનો દરિયાકિનારો અને રણ વિસ્તાર - બન્ને પાકિસ્તાનથી જોડાયેલા છે. સરહદી પ્રદેશ તરીકે ગુજરાતે બે વાર પાકિસ્તાની આક્રમણનો સામનો કર્યો છે.
    શક્તિ-ભક્તિની ‘રાષ્ટ્રીય’ નવ
    બીજું બધું ભૂલીને ઉત્સવના રંગે રંગાઈ જવાની ખાસિયત ગુજરાતીઓના લોહીમાં વણાયેલી છે. હમણાં ગણેશચતુર્થી અને ગણપતિ-ઉત્સવો રંગેચંગે ઊજવાયા. એ પહેલાં શ્રાવણમાં જન્માષ્ટમી, રક્ષાબંધનના તહેવારો હતા.
    વાદ, વિવાદ, વિતંડાવાદથી ધમધમતુ...
    ગુજરાતમાં ચર્ચાનું વાતાવરણ જ નથી? કેટલાકને એવું લાગે છે. કેટલાકને એવું લાગતું નથી. પણ જે રીતે ગુજરાતમાં આજકાલ બૌદ્ધિક વિચારોના કાર્યક્રમો થતા રહ્યા છે તે જોતાં એમ ‘ડિબેટિંગ ઇંડિયા’ માટેનો આશાવાદ વધુ મજબૂત થઈ રહ્યો છે.
    જૂનાગઢના નિમિત્તે આ પાછલી રાજ
    જૂનાગઢ માણાવદરના નવાબોએ પોતાની બેવકૂફીને લીધે રાજ્ય છોડીને કરાચી ઉચાળા ભર્યા, તે વાતને આજે ૬૦થી વધુ વર્ષ થઇ ગયા છતાં જૂનાગઢની ગલીઓ, ઈમારતો, ઉપરકોટ, બહાઉદ્દીન કોલેજ... તમામ સ્થાનો હજુ એ દિવસોની સ્મૃતિને જૂનાગઢવાસી માટે તાજી રાખે છે.
    સમય સાથે ઘણું બદલાય છે - થોડુંક...
    તમારામાંના ઘણા વિદેશવાસી મિત્રો જૂનાગઢ કે તેની આસપાસના નગર કે ગામડાઓના હશો. ક્યારેક ત્યાં જવાનું થાય ત્યારે બદલાતા સોરઠનું ચિત્ર તમારી નજર સામે દેખાશે. આઝાદીની પહેલા કે આસપાસના વર્ષોના જૂનાગઢ, માંગરોળ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, કુતિયાણા, બાંટવા, માણાવદર કે વંથલી, મેંદરડા અને પાજોદ હવે બદલાયા છે.
    દીપ પર્વે થનગનતું હતું ગુજરાત...
    વિક્રમ સંવતના નૂતન વર્ષનો શુભારંભ થઈ ગયો! ગુજરાતી નાગરિકોએ એકબીજાની સાથે વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી... સમય બદલાય તેમ માધ્યમો પણ બદલાય છે. પચાસ-સીત્તેર વર્ષ પૂર્વે લોકો એકબીજાને ગળે મળતાં, ઘરે-ઘરે જઈને શુભેચ્છા પાઠવતા, રાત આખી જાગીને રંગોળીથી આંગણું સજાવતા, દીવડાઓની હારમાળા લાગતી. વાત હવે થોડીક બદલાઈ છે. એક સમય હતો શુભેચ્છાનાં લિખિત અને છપાયેલા કાર્ડ એકબીજાને પોસ્ટમાં પહોંચાડાતાં, આજે તેનું સ્થાન ફેસબુકે લઈ લીધું છે.
    બે સંસ્કાર પુરુષોનું સન્માન ક
    ઓગણીસમી નવેમ્બરે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડમાં એક સંસ્કાર મેળો યોજાઈ ગયો! સંસ્કાર મેળો એટલા માટે કહ્યો કે તેમાં રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને શાસન - એમ ચારેયની વિચારોત્તેજક ઉપસ્થિતિ હતી અને વિશ્વ ગુજરાતી સમાજે જે બે મહાનુભાવોને ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’ એનાયત કર્યા તે બન્ને પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં ચઢિયાતાં વ્યક્તિત્વો!
    શું દેશનું રાષ્ટ્રગીત ફરજીયા

    આજકાલ કેટલાક ‘બૌદ્ધિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે સિનેમાઘરોમાં પ્રેક્ષકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું ફરજીયાત રહેશે. અગાઉ આવો નિયમ હતો જ, પણ ૧૯૬૮માં એક બિજોય ઇમેન્યુઅલ નામના કેરળના નાગરિકે કોર્ટમાં ફરિયાદ કરી કે તેઓ જેહોવાહ ઉપાસનામાં માને છે અને તેમાં બીજી કોઈ ઉપાસના માટે ઉભા થઈને ગાવામાં તેમની પોતાની ધાર્મિક લાગણી દુભાય છે.

    ક. મા. મુનશી: ૧૩૦ વર્ષ પછી પણ તેમ

    ઘટના તો ૧૩૦ વર્ષ પહેલાની, પણ ડિસેમ્બરના આ ઠંડા દિવસોમાં સાહિત્યના મહોત્સવો યોજાઈ રહ્યા છે ને હું શોધું છું કે કોઈ મંચ પરથી ભરૂચમાં મુનશીના ટેકરે જન્મેલા ગુજરાતના એક વિલક્ષણ લોકપ્રિય સાહિત્યકારનું સ્મરણ કરાય છે કે નહીં?

    વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની છે, ઇસુ વર્ષે તો થોડી ધામધૂમ, પાર્ટી અને મોજમજા.