Search Results

Search Gujarat Samachar

અમદાવાદઃ પ્રખર ગાંધીવાદી, સ્વતંત્રતા સેનાની અને આઝાદી બાદ લોકજાગૃતિના કાર્યોમાં અગ્રેસર રહેનારા ચુનીભાઇ  વૈદ્ય (૯૭)નું ગત સપ્તાહે અવસાન થયું છે.  

ઈસુના વર્ષ ૨૦૧૪ની વસમી વિદાય સાથે નવલાં વર્ષ ૨૦૧૫નું આગમન થયું છે. આગમન અને વિદાય જીવનની ઘટમાળ છે, સારાં-નરસાં પ્રસંગોનો ઘટનાક્રમ છે. આ જ રીતે વર્ષ ૨૦૧૪માં આપણાં માનસપટ પર ચિહ્નો અંકિત કરી જનારી અનેક ઘટનાઓ ઘટી છે. આવી ઘટનાઓમાંથી જે પદાર્થપાઠ...

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેની ખાસ અસર ગરમ રાજકીય ગતિવિધિઓ પર પડી નથી. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર હતી, પરંતુ ધારણાથી વિપરીત ભાજપ સહિત કોઈ રાજકીય પક્ષને બહુમતી સાંપડી નથી. ત્રિશંકુ...

ભૂજઃ લંડનવાસી એક યુવાનને ગત મહિને વતનની મુલાકાત દરમિયાન ‘અતિથિ દેવો ભવઃ’ સૂત્રનો સુખદ અનુભવ થયો.  મૂળ માનકૂવાના ગોરાણી પરિવારના ભાણેજ વિરેન પટેલ લંડનથી કચ્છમાં આવીને ધોરડો ફરવા ગયા હતા. કારમાં ધોરડો ફરીને વળતા ભીરંડિયારા પાસે ચા-પાણી પીધા હતા....

અમદાવાદઃ લગ્ન બાદ પુત્રવધૂએ કેસ કરતા ત્રસ્ત થયેલા ૭૪ વર્ષના વૃદ્ધા તથા અન્ય પરિજનોએ ગુજરાત હાઇ કોર્ટમાં પિટિશન કરી છે. આથી જસ્ટીસ જે. બી. પારડીવાલાએ પુત્રવધૂની ફરિયાદના આધારે ચાલી રહેલી ટ્રાયલ ઉપર મનાઇ હુકમ ફરમાવ્યો હતો.

મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને તેમને અપાયેલા સુરક્ષા કવચ અંગે એક આરટીઆઈ અરજી કરીને માહિતી માગી હતી, પણ મહેસાણા પોલીસે તે આપવાનો ઈનકાર કર્યો છે. પોલીસે કારણ આપ્યું છે કે જશોદાબેને જે સવાલો પૂછ્યા છે તે સ્થાનિક ગુપ્તચર વિભાગ...

દિયોદરઃ દિયોદર તાલુકાના કોતરવાડા ગામની એક યુવતીના લગ્ન હારીજ તાલુકાના દોતરવાડા ગામના અને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના પુત્ર સાથે થયા હતા. જ્યાં તેણીને તેના સાસરીયાંએ શારીરિક માનસિક ત્રાસ આપી છ માસ અગાઉ પુત્રી સાથે તરછોડી હતી. 

વલસાડઃ પંથક ચીખલાના યુવાને યુકેવાસી મહિલાની ખેતીની જમીનમાં બંગલો બાંધી દેતા વલસાડ રૂરલ પોલીસમથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 

વડોદરાઃ ભારત સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કેન્દ્રના નાણા પ્રધાન અને ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ અરુણ જેટલીએ વડોદરા જિલ્લાના યાત્રાધામ કુબેર ભંડારીવાળા કરનાળી ગામને દત્તક લીધું છે. ટૂંક સમયમાં તેઓ કરનાળીની મુલાકાત લેશે. 

ધર્મજઃ ચરોતરના ગતિશીલ ગામ ધર્મજ ખાતે દર વર્ષે યોજાતા ‘ધર્મજ ડે’ની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વૈશ્વિક ગામ તરીકે જેણે ઓળખ ઊભી કરી છે તેવા ધર્મજના મૂળ વતનીઓ વિશ્વભરમાં પથરાયેલાં છે. વતન પરસ્તીની ભાવના જેમના ભારોભાર ભરેલી છે તેવા આ સૌ ધર્મજીયનોને...