
‘હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ. એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.’ મૂળ અંગ્રેજીનો ઉમાશંકર જોષીએ કરેલો આ અનુવાદ...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ...
‘હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ. એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.’ મૂળ અંગ્રેજીનો ઉમાશંકર જોષીએ કરેલો આ અનુવાદ...
‘આહાહા... કેવા મજાના એ દિવસો હતા... ને આજે પણ છે કારણ કે મારી સાથે આજે ફરી વાર તું છે.’ અભિષેકે આશાને વ્હાલથી વળગીને કહ્યું... આશાએ કહ્યું, ‘હું તારી આવી વાતોમાં ત્યારે પણ નહોતી આવીને આજે પણ નહીં આવું, તું તારી આ પત્નીને જ આવી વાતોમાં ફસાવ...’...
‘માની કૃપા થઈ તે ફરી આપણે સહુ ગરબે ઘૂમતા થયા...’ હમણાં આ વાક્ય આપણે રોજ સાંભળીએ છીએ. ગત વર્ષે નવરાત્રિમાં કોરોનાની જેટલી તીવ્ર અસર હતી એટલે આ વર્ષે નથી અને એટલે કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પણ આદ્યશક્તિના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દર્શને જાય...
મોહમયી નગરી મુંબઈના માર્ગો પર મોડી રાત્રે વાહનો અને માર્ગ પરની લાઈટોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આકાશમાં ભાદરવા વદના અંધારા રેલાયા હતા ને ક્યાંક ક્યાંક દેખાઈ આવતા ટમટમતા તારલા જાણે આસોના અજવાળાની આલબેલ પોકારતા હતા.
ઊંમરનો સાતમો દાયકો પુરો કરવા જઈ રહેલા એક મહિલા, જેમના પતિ કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને નિવૃત્તિ પછી થોડા વર્ષોમાં અવસાન પામ્યા હતા તેમણે એમના એક સ્વજનને વાતવાતમાં કીધું કે ‘મારે તો હજુ દસ વર્ષ વધુ જીવવું છે...’ એટલે પેલા સ્વજને કીધું કે,...
એના પર રસપૂર્ણ નજર ફેરવી શકાય, એને વાંચી શકાય, એમાં લખેલા શબ્દોના અર્થને સમજી શકાય અને પામી પણ શકાય... હા, વાત છે પુસ્તકોની. પુસ્તક આપણું દોસ્ત થઈ શકે, પુસ્તક આપણને માર્ગદર્શન આપી શકે, પુસ્તક આપણા વિચારોને ઉદ્દાત અને ઉદાર બનાવી શકે, પુસ્તક આપણા...
‘ડેડી, તલગાજરડાથી પ્રસાદ આવ્યો છે...’ તલગાજરડાની ભૂમિ સાથેની મારી ચારેક દાયકાની શ્રદ્ધા પામનારી અને સમજનારી દીકરી સ્તુતિએ મને એક બોક્સ આપીને કહ્યું. કુરિયરમાં આવેલા એ બોક્સને ખોલ્યું, જોયું તો ચિત્રકૂટધામ - તલગાજરડા દ્વારા ત્રણ પુસ્તકો આવ્યા...
પર્વ... શબ્દ જ આપણા અસ્તિત્વમાં પ્રસન્નતા પ્રેરે છે. લૌકિક પર્વ આ ભવની ચિંતા કરાવે, અલૌકિક પર્વ ભવભવની ચિંતા કરાવે ને એમાંથી ઊગારે. પર્યુષણ એ અલૌકિક પર્વ...
યે તેરા ઘર યે મેરા ઘર... હિન્દી સિનેમાના આ અને આવા અનેક ગીતોમાં એક વ્યક્તિના પોતાના ઘરની વાત, ઘરના ઘરની વાત અભિવ્યક્ત કરાઇ છે. માનવજીવનની રોજિંદી જરૂરિયાતોમાં રોટી-કપડાં ઔર મકાન ગણાવાયા છે. મકાન પણ એક ઘટના છે અને ઘર વળી બીજી ઘટના છે.
હે ગોવિંદ, હે ગોપાલ... હૃદયથી પોકાર થાય અને એ મનમોહન આવે જ, ભક્તની મુશ્કેલીઓ દૂર કરે જ. શ્રીકૃષ્ણે માનવમાત્રના હૃદયમાં પ્રેમ અને આનંદની સ્થાપના કરી છે....