માધવપુર ઘેડનો મેળોઃ સોરઠી સુવાસને માણવાનો અવસર

એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના...

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...

અરદેશર ખબરદારે લખ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતના નાના ગામડામાં રહેતા હોય કે વિશ્વના આધુનિક મહાનગરોમાં રહેતા હોય, એમણે આ પંક્તિના ભાવને સાચ્ચે જ આત્મસાત કર્યો છે. ભલે એકાદ બે ગુજરાતી હોય, પણ એ...

‘ડેડી, તમારે મિત્ર સાથે ક્યારેય ઝઘડો થાય? અબોલા થાય? ક્યાં સુધી ટકે? સાવ વાત જ ના કરો? એને મનાવો કે નહીં?’ એક વાર દીકરી એના મિત્ર જોડે ફોનમાં મીઠો ઝઘડો કરતી હતી. ઝઘડો લાંબો ચાલ્યો. મેં જરા બ્રેક મારી એટલે ‘સારું ત્યારે...’ કહીને વાત પડતી મુકી....

‘ધ ગ્રેટેસ્ટ શો મેન’ તરીકે ઓળખાતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા રાજ કપૂરના ઇન્ટરવ્યૂમાંની એક ક્લિપ હમણાં જોઈ. એમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ વિશે વાત કરે છે. આ નાનો ઇન્ટરવ્યુ સાંભળીને હું મારા બાળપણના સમયમાં પહોંચી ગયો....

‘તમે સરસ સંચાલન કર્યુ, હવે આપણે નિયમિત મળતા રહીશું...’ મારી શ્રી રાજેશ વૈષ્ણવ સાથેની પહેલી મુલાકાત સમયે તેઓએ મને આ વાક્ય કહ્યું હતું. ૧૯૯૦ના દાયકાના આરંભે ભાવનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં હું સંચાલનમાં હતો, તેઓ વ્યવસ્થામાં હતાં. પારિવારિક...

લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક પુસ્તકો વાંચવાનું થયું એમાં એક પુસ્તક તે ‘અધૂરી કથાઓ - ઈન્ટરનેટની અટારીએ’. એના લેખક છે ગુજરાતના એવા લેખક કે જેઓએ ફિલ્મ લેખન જ કર્યું છે. મારી યુવાન અવસ્થાથી હું એમની કોલમનો ચાહક રહ્યો છું. સિનેમા એમના માટે પ્યાર...

એંસીના દાયકાના આરંભના એ વર્ષો મને બરાબર યાદ છે. કોલેજ કાળના એ સમયથી, અભ્યાસમાં મળેલી એકધારી નિષ્ફળતાઓ સામે લડતા લડતા અખાત્રીજ આવે ત્યારે નવી નોટ, નવી પેન લઈને મનના ભાવો એમાં ઉતાર્યા હતા. ચારેક દાયકાનો સમય થયો - આજે પણ સાંસારિક રીતે સાંસ્કૃતિક...

કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને...

‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’ આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા...

‘ફરી એક વાર ભાવનગર રોટરી ક્લબમાં તમને પ્રવચન આપવાનું ફાવશે?’ રોટરી ક્લબની પ્રોગ્રામ કમિટીના રીનાબહેને ફોનમાં પૂછ્યું. હા પાડી. ક્લબની અઠવાડિક મિટીંગમાં વર્ચ્યુઅલ પ્રવચન ગોઠવાયું. ‘વિષય તમે સૂચવો...’ મેં કહ્યું. પછીથી ત્રણ-ચાર વિષય પર ચર્ચા કરીને...

‘હું ને તારી મામી, અમારા ઘરના ફ્લેટની ગેલેરીમાં બેઠા બેઠા હીંચકે ઝુલતા ઝુલતા સરસ મજાની વાર્તા કરતા હતા, અને તારી મામીએ મને જે વાતો કહી ને....’ આટલું કહેતા કહેતા નવીનમામાની આંખો સહજ પ્રેમથી ભીની થઈ ગઈ. વાત મારા મામી, ચંદ્રિકાબેન રાજ્યગુરૂ અને...

જુસ્સેદાર, ઝિંદાદિલી ભર્યા શેર લખનાર શાયર શ્રી ખલીલ ધનતેજવી એટલે શબ્દ સાથેની સોબતના માણસ, પળ પળ જીવનના ધબકારને અનુભવતા માણસ... અભ્યાસ કે અવલોકન થકી મનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter