વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને મારા - અમારા નવા વર્ષના સાલ મુબારક... આ લેખનું શીર્ષક વાંચીને કેટલાકને સ્વાતંત્ર્ય સંગ્રામ યાદ આવશે. કેટલાકને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કલમે રચાયેલી જગવિખ્યાત રચના ‘એકલો જાને...’ યાદ આવશે. આપ સહુ આ અંકમાં પાન નં. ૧૬ ઉપર આ આખી રચના વાંચી શકશો. કવિવરની આ બંગાળી રચનાનો મહાદેવભાઇ દેસાઈએ ગુજરાતીમાં એવો સુંદર શબ્દદેહ કંડાર્યો છે કે જાણે અસલ રચના જોઇ લો...
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનામાંથી કેટલાય તો શીર્ષક વાંચતા વાંચતા જ ભક્ત-કવિ નરસિંહ મહેતાનું આ સદાબહાર પદ ગણગણતા થઇ ગયા હતાને! જો તમે આખું પદ વાંચવા ઇચ્છતા હો તો પાન ૧૬ ઉપર પહોંચી જાવ ત્યાં નરસૈયાંની આ આખી કૃતિ રજૂ કરી છે. મિત્રો, આપ સહુએ જોયું હશે કે પાન ૧૬-૧૭ની રજૂઆત-સજાવટમાં ગયા સપ્તાહથી ફેરફાર કરાયો છે. આ સુચન-સુધારા માટે આંગળી ચીંધામણનો જશ ‘ગુજરાત સમાચાર’ના માનવંતા વાચક રતિલાલ ટેલરના ફાળે જાય છે. તેમણે કેટલાક સૂચનો કર્યા હતા, જેના આધારે જુદા-જુદા વિભાગોને એક સાથે રજૂ કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. વાચક મિત્રો, આપનામાંથી પણ કોઇ આ પાન પર કે બીજે વિશેષ સામગ્રી કે સાહિત્યિક કૃતિ વાંચવા ઇચ્છતું હોય તો અમને લખી જણાવવા આમંત્રણ છે. અમે આ સુચનના અમલ માટે શક્ય તમામ પ્રયાસ કરશું.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવ સંસ્કૃતિના આરંભકાળથી જ સ્થળાંતર - અન્ય સ્થળે વિચરણની શરૂઆત થઇ હતી. ગુફા, કંદરા કે ગાઢા જંગલના વસવાટમાં અનેક સંકટોનો, વિટંબણાનો સામનો કરવો પડતો હતો. આ અને આવા કારણોસર માનવ હંમેશા ખાણીપીણી, સહીસલામતી, સંગત માટે હાલ્યો જ જાય છે, હાલ્યો જ જાય છે. જ્યારે વાહનવ્યવહાર કે સંદેશવ્યવહારની આધુનિક સાધન-સુવિધા ઉપલબ્ધ નહોતી તેવા સંજોગોમાં પણ આ યાત્રા વણથંભી ચાલુ જ રહી છે. ક્રમે ક્રમે પહેલાં રોટી, પછી રહેઠાણ, પછી કપડાં, પછી સંતાનોના વિકાસની ચિંતા એવા કારણસર પૃથ્વીના લગભગ દરેક ખૂણામાં, આર્કટિક - ઉત્તર ધ્રુવના કે એન્ટાર્કટિકાના દક્ષિણ ધ્રુવ નજીકના સદાસર્વદા બરફાચ્છાદિત પ્રદેશને બાદ કરતાં લગભગ દરેક સ્થળે નાની-મોટી વસાહતો ઉદભવી છે. આમ જૂઓ તો આ આશ્ચર્યજનક ગણાય, અને આમ જૂઓ તો આમાં કંઇ નવું પણ નથી. આ પૃથ્વીના દરેક ખંડમાં, પ્રદેશમાં માનવજાતનો વસવાટ છે. અને આજે પણ સ્થળાંતર અવિરત ચાલુ જ છે. ઘરઆંગણે બ્રિટનની વાત કરીએ તો - તાજેતરમાં આ જ લેખમાળામાં આપે વાંચ્યું હશે તેમ - ઇમિગ્રન્ટ વિના ચાલે નહીં, અને ઇમિગ્રન્ટ ગમે નહીં તેવી હાલત જોઇ શકાય છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટિશ પાર્લામેન્ટમાં મંગળવારે બ્રેક્ઝિટ અંગેના વડા પ્રધાન થેરેસા મે સરકારના પ્રસ્તાવને ઐતિહાસિક પરાજય સાંપડ્યો. એક સગર્ભા મહિલા સાંસદને વ્હીલચેરમાં બેસીને મતદાનમાં હાજરી આપવી પડે તેવી મજબૂરી પાર્લામેન્ટ માટે શરમજનક ઘટના ગણી શકાય. પરાજયના સમાચાર ચોંકાવનારા હોવા છતાં આશ્ચર્યજનક તો નથી જ. મતદાનના થોડાક કલાકો અગાઉ જ કેબિનેટ સભ્યોમાં આ અંગે ભારે વાદવિવાદ સર્જાયો હતો. હવે આજે - બુધવારે - મે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર નિર્ણય લેવાઇ રહ્યો છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા બ્રિટનમાં ભલે ગયા માર્ચમાં મધર્સ ડે ઉજવાઇ ગયો, પરંતુ આંતરરાષ્ટ્રીય તખ્તે રવિવારે (૧૨ મેના રોજ) માતૃભક્તિ પર્વ ઉજવાયું. આ પ્રસંગે નારીશક્તિ, માતૃશક્તિના ગુણગાન ગાતી ગણી ગણાય નહીં ને વીણી વીણાય નહીં તેટલી અઢળક રજૂઆતો થઇ, પરંતુ આ બધામાં મારી સૌથી પ્રિય પંક્તિ છેઃ જે હસ્ત ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે... માત્ર નવ જ શબ્દોમાં નારીશક્તિનું, માતૃશક્તિનું કેવું અદભૂત મહિમા ગાન! ગુજરાતી ભાષામાં અમર બની ગયેલી આ પંક્તિ મૂળે તો અંગ્રેજી લેખક વિલિયમ રોસ વોલેસે ૧૮૬૫માં લખેલી અંગ્રેજી કવિતા The Hand That Rocks the Cradle Is the Hand That Rules the Worldનો ભાવાનુવાદ છે. મિત્રો, સંપૂર્ણ અંગ્રેજી કવિતા તો જગ્યાના અભાવે અત્રે રજૂ કરવાનું મુશ્કેલ છે, પરંતુ આ મૂળ કવિતા આપ સહુ ‘જીવંત પંથ’ની ઓનલાઇન એડિશન (www.gujarat-samachar.com) પર વાંચી શકો છો.
ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું પલ્લું ભારે રહેશે? આ મુદ્દે દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં અનેક અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા હતા. કોઇનો મત એવો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ ફરી સત્તા મેળવશે. તો એક વર્ગ કોંગ્રેસ અને મહાગઠબંધનની યુતિ દેશની શાસનધુરા સંભાળશે તેમ માનતો હતો. જોકે ‘ગુજરાત સમાચાર’એ ઘણા સમય પહેલાં - જાન્યુઆરી ૨૦૧૯માં જ સ્પષ્ટ શબ્દોમાં મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે લોકસભાના ચૂંટણી પરિણામોમાં નરેન્દ્ર મોદી સફળ નેતૃત્વ પૂરું પાડશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએ જ્વલંત દેખાવ કરશે.
જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની કેવી રીતે સ્થાપના થઈ હતી તે વિશે મારી યાદદાસ્ત તાજી કરવાનો સમય પાકી ગયો હોવાનું મને લાગે છે. કચ્છી ગુજરાતી બેરિસ્ટર અને ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના મહાનુભાવોએ વર્ષ ૧૯૦૦માં લેબર પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ મુખ્યત્વે ભારતીય સ્વાતંત્ર્યનું અભિયાન ચલાવવા લંડનમાં સ્થાયી થયેલા સમાજવાદી હતા. તેમણે હાઈ ગેટમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના પણ કરી હતી, જેના દ્વારા વર્ષો દરમિયાન અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને રાજકારણીઓને મદદ કરાઈ હતી.
વડીલો સહિત સર્વે વાચકમિત્રો, લગભગ ૧૦૦ વર્ષ પછી યુકેમાં હાઉસ ઓફ કોમન્સ માટે સામાન્ય ચૂંટણીઓ ઠંડા, વાદળભર્યા અને વરસાદ સાથેના શિયાળા મધ્યે યોજાઈ હતી. યોગ્ય પ્રચાર થશે કે કેમ અને મતદારો પણ ઉલટભેર મતદાન કરવા જઈ શકશે કે નહિ તેનો અજંપો અને ઉચાટ પણ હતા. ૧૨ ડિસેમ્બર, રાત્રિના ૯.૫૯ કલાકે તો મોટા ભાગના બ્રિટિશરો તેમના ટેલિવિઝન સેટ્સ સામે જાણે ચોંટી ગયા હતા. સામાન્ય લાગણી એવી હતી કે લેબરનેતા જેરેમી કોર્બીન ટોરી પાર્ટીને સત્તાસ્થાનેથી ઉખાડી ફેંકશે અને ડાઉનિંગ સ્ટ્રીટમાં પહોંચી જશે.
વડીલો સહિત સહુ વાચકમિત્રો, લોકશાહી પરંપરાના જન્મદાતા બ્રિટનમાં સંસદીય ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જાહેર થયેલા સમયપત્રક અનુસાર, આગામી સાતમી મેના રોજ દેશભરમાં પાર્લામેન્ટરી ચૂંટણીઓ માટે મતદાન થશે. મતલબ કે આ અંકના પ્રકાશનથી બરાબર ૯૦ દિવસ બાદ. તમે એમ પણ કહી શકો કે ચૂંટણી દેશના આંગણે આવીને ઉભી છે. આ વખતે સામાન્ય ચૂંટણીઓ બરાબર પાંચ વર્ષના અંતરાલ પછી યોજાઇ રહી છે. ગત ચૂંટણી સુધી દેશના વડા પ્રધાનને વિશેષાધિકાર હતો કે તેઓ (પાંચ વર્ષની નિયત મુદત પૂરી થતાં પૂર્વે) કોઇ પણ સમયે સંસદનું વિસર્જન કરીને ચૂંટણીઓની જાહેરાત કરી શકતા હતા. જોકે વર્તમાન યુતિ સરકારે નવો બંધારણીય સુધારો લાગુ કરીને પાંચ વર્ષની મુદત પૂરી થયા પૂર્વે ચૂંટણીઓ જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર મારા માટે જરા વધારે પડતો બીઝી રહ્યો. સવારના ભાગમાં બે નાની બેઠકોમાં હાજરી આપી. કેટલાક યુરોપિયન પત્રકારો સાથે એક અગત્યના અને ગંભીર વિષય બાબત વિચારોની આપ-લે થઇ. છેલ્લા પાંચ-છ દિવસથી સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ સુન્ની સમુદાયનું વર્ચસ ધરાવતા દેશો - કુવૈત, ઇજીપ્ત, અોમાન, જોર્ડન વગેરેએ યમનમાં શિયા કબિલા શાસિત વિસ્તારો પર ભારે બોમ્બમારો શરૂ કરતાં અત્યંત નાજુક પરિસ્થિતિ સર્જાઇ છે. વિશ્વમાં સવાસો કરોડ મુસ્લિમોમાં ૮૦ ટકા કે થોડાક વધુ સુન્ની પંથના અનુયાયીઓ છે. સુન્નીઓ સૈકાઓથી એક યા બીજા પ્રકારે શિયાઓ સાથે જંગ લડી રહ્યા છે.
