જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    પ્રગતિના પંથે દોરી જતી જડીબુટ

    આપ તાર્યા અમે તરવાના, સાચું રે જાણો...
    પથિક તારા વિસામાના, દૂર દૂર આરા...
    જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટે ના...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે (સોમવારે) વહેલી સવારે મારા ચિંતનના પિરિયડ દરમિયાન આ ત્રણ ગીતોની સ્મૃતિ થઇ આવી. ‘પથિક તારા વિસામાના...’ એ ગીત ૧૯૪૫-૪૬માં આણંદમાં મ્યુનિસિપાલિટીના મકાનની સમીપ ઉભેલી કોંગ્રેસ સમિતિની ભવ્ય ઇમારતમાં ચાલતા સંગીત વર્ગમાં સાંભળ્યું હતું. રજાઓમાં મારા માસા પૂ. તુલસીદાસને ત્યાં અમે જતા અને તેમના જયેષ્ઠ પુત્ર (મારા મોટા ભાઇ) ઇન્દુભાઇ હાર્મોનિયમ ઉપર ગીત લલકારતા હતા. હાર્મોનિયમ શીખવા મેં પણ - નિરર્થક - પ્રયત્ન કર્યો હતો. આ ગીતની કેટલીક પંક્તિઓ હજુ પણ અવારનવાર ગણગણું છું. તેમાંની ‘ન સીંચરે કોઇ મારગે તારા...’ પંક્તિમાંથી તો બહુ મોટીવેશન, પ્રેરણાબળ પ્રાપ્ત થાય છે. સ્વામીશ્રી કૃપાલાનંદજીની કૃતિ, તેમનું એક ભજન ‘જીવન પંથ ખૂટે ના મારો...’ એ તો લગ્ન બાદ સાંભળ્યું. અને મનમાં વસી ગયું.

    ‘કિનારે’ બેસી અંતરમનમાં ડૂબક

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં આપણે સહુએ બેન્ક હોલીડે માણ્યો. ચૂંટણીની ઝૂંબેશ, પરિણામો અને તેની પળોજણ પણ પિછાણી. આ ઉપરાંત દરેકને નાની-મોટી કાંઈને કાંઈ સમસ્યા હોવાની જ. આપણી સમસ્યા કે પ્રશ્નો ઉકેલવા તો આપણે જ સમય કાઢવો પડે ને... શું કરવાનું છે? શું કર્યું? ક્યાં શું બાકી રહ્યું? જેવા પોતાને કે પોતાના પરિવારને પજવતા સદાબહાર પ્રશ્નોની હારમાળા હાજર જ હોય. ક્યાંક વળી અન્યની નાની-મોટી ‘જફાબાજી’ પણ આપણો સમય તાણી જાય. પરમાત્માએ શું જીવન બનાવ્યું છે!

    અતિ સર્વત્ર વર્જયેત્ (અતિરેક એ...

    વડીલો સહિત સૌ વાચકમિત્રો, વિક્રમ સંવત ૨૦૭૭ના સૌને નૂતન વર્ષાભિનંદન, ચાલો આપણે મનોમન (આ કોરોનાને કારણે જ સ્તો) રાજકોટ જઇએ. ખાસ કરીને ત્યાંની સિઝન્સ હોટેલમાં મારો મુકામ હોય છે. આ સમગ્ર સંકુલના સર્વેસર્વા વેજાભાઇ રાવલીઆ સાથે એક વખત હોટેલના ઉદ્યાનમાં બેઠો હતો. ત્યાં એક લોહાણા મિત્ર મળવા આવ્યા. જેઓ પ્રોપર્ટીનો બિઝનેસ ધરાવે છે. આવતા વેંત તેમણે કહ્યું, ‘સી.બી., આજે તો ભૂક્કા કાઢી નાખ્યા! મોટી પ્રોપર્ટી હતી! વાત ના પૂછો...’ હું ચમક્યો. 

    યોગ... ધનનો, સ્વાસ્થ્યનો અને વિવ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, સામાન્યપણે ‘જીવંત પંથ’ કોલમને શાબ્દિક દેહ સોમવારે આપવામાં આવતો હોય છે. આ વેળા શનિવારે આ ફરજ અદા થઇ રહી છે કેમ કે આવતીકાલે રવિવાર (૨૧ જૂન) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી મારે અને તંત્રીમંડળના સાથીઓને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની છે. (સોમવાર પણ ખૂબ બીઝી રહેવાનો છે) ૨૧ જૂન એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ. સવારે સૂર્યદેવ વહેલા ઉગે અને સાંજે મોડા અસ્ત થાય. સૂરજદાદા, સૂર્યોદય, સૂર્યાસ્તની વાત નીકળી જ છે ત્યારે એક બહુ પ્રચલિત કહેવત પણ ટાંકી જ દઉં - ક્યારેય સૂર્ય કાયમ માટે મધ્યાહને રહેતો નથી. આ બે હકીકતોનો ઉલ્લેખ અત્રે એટલે કર્યો કે...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, હેપ્પી ન્યૂ યર... ઇસુના નૂતન વર્ષ ૨૦૧૫નો પ્રારંભ થઇ ચૂક્યો છે. નૂતન વર્ષનો આરંભ હોય કે આપણી વર્ષગાંઠ, આવા સીમાચિહ્ન રૂપ દિવસ આવે ત્યારે લગભગ દરેક વ્યક્તિના મનમાં કેટલાક સવાલો ઉઠતા હોય છેઃ આપણે ક્યાં જવા નીકળ્યા છીએ? ક્યાં પહોંચ્યા છીએ? નિર્ધારિત મુકામે હેમખેમ પહોંચશું કે કેમ? ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું? કે પછી શું ન કરવું..? કેટલા બધા પ્રશ્નો... ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જે જિંદગીના આવા વળાંક પર વિચારવંત નહીં બનતી હોય. દિમાગનું દહીં કરવાનો ઇજારો કંઇ બૌદ્ધિકો કે વિદ્વાનોનો તો નથી જને?! અદનામાં અદનો આદમી પણ રોજબરોજની પળોજણ દરમિયાન ચોખંભે આવીને ઉભો રહેતો હોય છે. સીધા જવું? ડાબે જવું? જમણે જવું? કે પછી યુ-ટર્ન લેવો? 

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યે મારી - તમારી અને આપણી જૂની-નવી વાતો આપણે ‘જીવંત પંથ’માં વાગોળીએ છીએ. આ નવા ક્ષેત્રમાં, અપેક્ષા કરતાં અને યોગ્યતા કરતાં પણ સાચે જ મને વધુ સંતોષ અને સફળતા સાંપડી રહ્યા છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આને હું મારા જીવનની એક સીમાચિહનરૂપ સિદ્ધિ માની રહ્યો છું, અને આ યાત્રામાં કંઇકેટલાય મહાનુભાવોના ઉપકારો છે તે મેં સ્વીકાર્યા છે.

    યુગાન્ડા હકાલપટ્ટીઃ હાહાકાર

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, યુગાન્ડન એશિયન જ્યાં હોય ત્યાં 4 ઓગસ્ટ 1972નો દિવસ જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકે. તે વેળાએ યુગાન્ડામાં રહેતા આપણા ભાઇભાંડુઓ કે જેઓ વીતેલા પાંચ દસકામાં હવે વડીલો બની ગયા છે તેવા કેટલાક સાથે વાતચીત થઇ. તેમને પૂછ્યછયું તમે ઇદી અમીનના ઉદ્ગારો વિશે સાંભળ્યું હતું? તે વેળા તમારો પહેલો પ્રતિભાવ શું હતો?

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, આજે આપણા એકપક્ષી સંવાદની શરૂઆત લેખમાળાના શિર્ષક બાબતની યોગ્ય ગણાય. સજ્જન અને વર્ષોજૂના જાગ્રત વાચકે મને પૂછ્યછયું કે તમે કોલમનું નામ જીવંત પંથ કેમ રાખ્યું? જીવંત પથ કેમ નહીં? જરાક ફોડ પાડોને?! કોઇ નવો પંથ-બંથ શરૂ કરવાનો વિચાર હતો કે શું? જરાક મલકાટ સાથે મારા મોંમાંથી શબ્દો સરી પડ્યાઃ ભલા માણસ, આટલા વર્ષથી આ અખબાર વાંચો છો, આ કોલમ વાંચો છો ને કંઇ નહીં આજે કેમ તમારા મનમાં આ પ્રશ્ન ઉઠ્યો. સામો તેમનો જવાબ આપ્યો હતોઃ આ તો જરીક એમ જ, મનમાં પ્રશ્ન ઉઠી ગયો...

    નબળું મન શારીરિક બિમારીઓનું પ

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, આજનો વિષય અનેકવિધ રીતે હિતકારી બની રહેશે તેવી શ્રદ્ધા છે. તાજેતરમાં તામિલનાડુના પાટનગર ચેન્નઇમાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઇ ગયો. ભારતમાં આ પ્રકારે પહેલી વખત યોજવામાં આવી. મુખ્ય પ્રધાન સ્ટાલિને ઘોષણા કરી હતી તે અનુસાર વિજેતાઓને એક કરોડ રૂપિયાના ઇનામો એનાયત થયા. કેટલાક વિરોધ પક્ષોને તેમાં પણ વાંધાવચકા દેખાયા, પણ છોડો એ વાત. જેને આપણે ચેસ કહીએ છીએ તેની શરૂઆત ભારતથી થઇ. રાજા-રજવાડાં-શ્રીમંત બુદ્ધિજીવીઓ સૈકાઓથી શતરંજ રમતા આવ્યા છે.

    વિદ્યાધન છે સાચું...

    વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપ સહુ ક્ષેમકુશળ હશો. આપણે જીવનમાં નાનામોટા કેટલાય સમાચાર અંગે વિચારવંત હોઇએ છીએ. વિચારવંત હોવું એ આવશ્યક છે, પણ તેનો વિચારવાયુ ન થઇ જાય તે બાબત સાવચેત રહો તેવી નમ્ર અરજ છે.