વડીલો સહિત સૌ વાચકમિત્રો, શાસન એટલે કે શાસક સર્વ ક્ષેત્રોને સ્પર્શે છે એ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. સામંતશાહી હોય - રાજાશાહી હોય - સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, અંતે તો આ તમામ શાસન પદ્ધતિને સાંકળતો શબ્દ છે - સત્તા.
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપણે સહુ જાણીએ છીએ તેમ આજના જમાનામાં સોશિયલ મીડિયા અનેકવિધ પ્રકારે આપણા જીવન સાથે વણાઇ ગયું છે. વ્હોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ... આવા માર્ગે સતત સાચા - ખોટા અસંખ્ય સંદેશાઓનો મારો ચાલી રહ્યો છે. અને કંઇ કેટલાય લોકો પોતાની જાતને મોટા ગજાના ચિંતક, લેખક, વિચારક, વિશ્લેષક માનીને આત્મસંતોષમાં રાચી રહ્યા છે. આવા લોકોને - પોતાની જાત માટેનો - સેલ્ફ સર્ટિફાઇડ અભિપ્રાય મુબારક.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધનના સમાચાર ફેલાતાં જ દુનિયાભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિશ્વમાં ભલે રાજાશાહીનો સુરજ આથમી રહ્યો હોય, તેની સામે વિરોધનો અવાજ ઉઠતો રહ્યો હોય, પરંતુ બ્રિટનનાં નામદાર મહારાણીની વાત અલગ હતી, છે અને રહેશે. ન ભૂતોઃ ન ભવિષ્યતિઃ બ્રિટનના સામ્રાજ્યવાદી ચહેરાને માનવતાપૂર્ણ ચહેરામાં પરિવર્તિત કરનાર મહારાણીનું નામ ઇતિહાસના પૃષ્ઠોમાં સોનેરી અક્ષરે અંકાઇ ગયું છે તે વાત સાથે ભાગ્યે જ કોઇ અસહમત થશે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના શિર્ષકમાં જ આપ મારી મનોસ્થિતિ સમજી શક્યા હશો. શનિવારે જૈન સમાજ-માંચેસ્ટરની યાત્રાનો અવસર સાંપડ્યો. તે સંસ્થાના સંગીન સહયોગથી વડીલ સન્માનનો મંગળ મહોત્સવ ઉજવાયો હતો. આ સુઘડ, સુવ્યવસ્થિત અને સર્વોત્તમ એવા સમાજ કેન્દ્રમાં અમે લગભગ સાતેક કલાક ગાળ્યા. સહુથી પ્રથમ અમે બધાએ પવિત્ર, સુંદર અને સ્વચ્છ દેરાસરમાં ઇશ્વર પ્રાર્થના કરી. કાર્યક્રમ દરમિયાન એક બહેને સૂરિલા અવાજમાં ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...’ સાદર કર્યું. અંતરમન ભક્તિભાવથી ભીંજાઇ ગયું, અને મનમંદિરમાં પૂ. ચિત્રભાનુજી મહારાજ બિરાજમાન થઇ ગયા.
વડીલો સહિત સૌ વાચકમિત્રો, નામદાર મહારાણીને હમણાં જ ભારે હૃદયે વિદાય આપીને આપની સેવામાં હાજર થયો છું. સાચું કહું તો મનમાં સંતાપ શમતો નથી. એક ઉમદા - પ્રજાવત્સલ રાજવીની ચિરવિદાયે - આપ સહુની જેમ જ મને પણ - અંદરથી હચમચાવી નાંખ્યો છે એમ કહું તો તેમાં અતિશ્યોક્તિ નથી. નામદાર મહારાણી આજે ભલે આપણી વચ્ચે સદેહે ના હોય, પરંતુ તેમના મૂલ્યો, જીવનસંદેશ શાશ્વત છે. કર્તવ્યપરાયણતા, પરિવારપ્રેમ, દૂરંદેશીપણું... કેટકેટલું તેમના જીવનમાંથી શીખવાનું છે. જોકે આજે મારે વાત કરવી છે તેમના સ્વાસ્થ્યની.
વડીલો સહિત સૌ વાચકમિત્રો, આદ્યશક્તિની આરાધનાનું પર્વ શરૂ થઇ ગયું છે, તે સાથે જ ભારતીય સમાજ દીપોત્સવને વધાવવા માટે પણ આતુર બન્યો છે. દીપોત્સવ પર્વની હારમાળામાં એક દિવસ આવે છે - ધનતેરસ. આ પર્વે વિશ્વભરમાં વસતાં ભારતીયો પછી તે હિન્દુઓ હોય, જૈન હોય, શીખ હોય કે બૌદ્ધ ધર્મના હોય... સહુ કોઇ લક્ષ્મીજીની પૂજા-અર્ચના-આરાધના કરે છે. જોકે આ તો દિવાળીની વાત થઇ. આજે તો કેટલાય (બધા જ!) લોકો એક યા બીજી રીતે આખું વર્ષ લક્ષ્મીજીની આરાધનામાં વ્યસ્ત બનેલા જોવા મળે છે. એમાં ય ગુજરાતીઓ માટે તો વળી એવું કહેવાય છે કે તેમના તો લોહીમાં જ ધંધો વહે છે. પરંતુ ધનપતિની સાચી વ્યાખ્યા સમજી લેવાની જરૂર છે.
વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપ સહુ નવરાત્રિ મહોત્સવને બરાબર માણીને વધુ તરોતાજા થયા હશો (ગરબા-રાસનો થાક તો લાગતો જ નથી... ખરુંને?!) હવે આપ સહુ પ્રકાશના પર્વ દીપોત્સવને વધાવવા તૈયારી કરી રહ્યા હશો. દુકાનદાર જેમ રોજમેળ કરે છે એમ આપણે સહુ પણ વર્ષાંતે લેખાંજોખાં કરશું.
જોકે આજના વિષયની વાત માંડતા પહેલાં આપણી ગુજરાતી ભાષાસાહિત્યની અમર રચનાઓમાંથી અમુક પદો - ભજનો - કવિતાની કેટલીક પંક્તિો યાદ કરી લઇએ.
વડીલો સહિત સૌ વાચકમિત્રો, ઠીક ઠીક સમય પછી આપણે ફરી મળી રહ્યા છીએ. આપ સહુ સમક્ષની મારી ઉપસ્થિતિને મેં હંમેશા મારું સદભાગ્ય સમજ્યું છે, પરંતુ જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞ સાથે સંકળાયેલા કાર્યોમાં એક યા બીજા પ્રકારે વ્યસ્તતાના કારણોસર કોલમલેખનમાં અગાઉ જેવી નિયમિતતા જળવાતી નથી તે મારે સ્વીકારવું જ રહ્યું. સાચું કહું તો આ સમય પણ એવી ‘ચીજ’ છે ને કે ક્યાં વહી જાય છે તે ખબર જ પડતી નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપની સેવામાં કોકટેલ રજૂ કરી રહ્યો છું. જો જો લ્યા, મનમાં કલ્પનાના ઘોડા દોડાવવા લાગો તે પહેલાં જ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઇ હાર્ડ ડ્રિન્ક કે સોફ્ટ ડ્રિન્કનું નહીં, પણ ઘટનાપ્રસંગોનું કોકટેલ છે. પ્રસંગ અલગ અલગ છે, પરંતુ દરેક સાથે કોઇને કોઇ વિચાર જોડાયેલો છે. આ મુદ્દા વિચારપ્રેરક હોવાથી, સહુના વિચારમાનસને પોષણ પૂરું પાડે તેવા હોવાથી તેનું ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ અહીં રજૂ કરી રહ્યો છું.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, મારા - તમારા સહિતનું બ્રિટન જ નહીં, સમગ્ર વિશ્વ કિંગ ચાર્લ્સ - તૃતીયની તાજપોશીનું સાક્ષી બન્યું. ભવ્યાતિભવ્ય શબ્દ પણ નાનો પડે તેવું શાનદાર - ભપકાદાર આયોજન. થેમ્સના કિનારે વસેલા આ મહાનગરમાં જાણે પ્રાચીન પરંપરા - ધર્મ - ગરિમાનો ત્રિવેણીસંગમ રચાયો હતો. દેશમાં 70 વર્ષ બાદ તાજપોશીનો સમારોહ યોજાયો
