યમન પર સઉદી અરેબિયા દ્વારા થયેલા હવાઈ હુમલામાં કચ્છ અને જામ સલાયાનાં બે વહાણ નિશાન બનાવ્યાના સમાચારથી દરિયા ખેડૂઓમાં ભય વ્યાપ્યો છે.
કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
યમન પર સઉદી અરેબિયા દ્વારા થયેલા હવાઈ હુમલામાં કચ્છ અને જામ સલાયાનાં બે વહાણ નિશાન બનાવ્યાના સમાચારથી દરિયા ખેડૂઓમાં ભય વ્યાપ્યો છે.

વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા બોમ્બમારો થતાં પોતાના જીવની ચિંતા કર્યા વગર ભૂજ એરપોર્ટના રનવેનું સમારકામ કરનારી માધાપરની વીરાંગનાઓનાં સન્માન માટે નિર્મિત...
ગત મહિને કચ્છમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે પ્રથમ રાઉન્ડમાં જ ૧૧૭ વરસાદ નોંધાયો હતો. સિંચાઇ વિભાગના જળાશયોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
કચ્છના અંજાર તાલુકાનાં નિંગાળ ગામના સુખી એવા એક આહીર પરિવારના સાત સભ્યોએ ગત વર્ષે ૨૩ માર્ચના રોજ સામૂહિક આત્મહત્યા કરી હતી. આ કેસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રાધેમાનું નામ ઊછળ્યું હતું, કારણ કે એ પરિવાર રાધેમાનો ભક્ત હતો અને આત્મહત્યા...
કેન્યાના નાઇરોબીમાં કાર્યરત શ્રીચંદના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કચ્છમાં વીરાયતનની શિક્ષણ સેવા માટે રૂ. ૨,૫૧,૦૦૦ની રકમનો ચેક સંસ્થાના કચ્છના વડા સાધ્વી શીલાપીજીને તાજેતરમાં અર્પણ કર્યો છે.
કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષા દળ દ્વારા ૫ ઓગસ્ટે સવારે એક પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતા પકડી લેવામાં આવ્યો છે.

જુલાઇના અંતમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદના પગલે કચ્છની અનેક ટ્રેનો રદ થવાથી રેલવે તંત્રને લાખો રૂપિયાની ખોટ ગઇ છે.

ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે.
અષાઢી બીજે કચ્છમાં નૂતનવર્ષની ઉજવણી થાય છે. કચ્છીઓએ માંડવીના દરિયામાં પૂજન કરીને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી.