સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હૃદયને તંદુરસ્ત રાખવા સપ્તાહ

    શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહારની સાથોસાથ કસરત કરવી પણ આવશ્યક છે. કસરત કેટલી કરવી તેના વિશે મતમતાંતર પણ છે. અભ્યાસો તો કહે છે કે કસરત ન કરવી તેના કરતાં કોઈ પણ કસરત કરવી બહેતર છે. NHS અને WHOની ગાઈડલાઈન્સ મુજબ સપ્તાહમાં 150 મિનિટ કસરત કરવી જોઈએ. પરંતુ, નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે આનાથી ચાર ગણી કસરત કરવી જોઈએ.

    ડાયાબિટીસથી પ્રેરિત સેવાયાત્...

    બેંગલૂરુમાં વસતી દિવા ઉત્કર્ષના નાના ભાઇ સૂર્યાને ડાઇપ-1 ડાયાબિટીસ હોવાનું વર્ષ 2021માં નિદાન થયું. પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર આવ્યો, ‘જો મારા જેવા સક્ષમ પરિવારને આ બીમારી મેનેજ કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય, તો બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા હોય તેવા લોકોને કેવી મુશ્કેલી પડતી હશે?’

    ફેટી લિવરઃ ખરાબ લાઇફસ્ટાઇલની

    લિવર શરીરમાં એક એવું અંગ છે જે ખોરાકને પચાવવા, ઝેરી તત્વો દૂર કરવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ફક્ત દારૂથી જ લિવરને નુકસાન થાય છે. જોકે, ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા તાજેતરના વૈશ્વિક અભ્યાસ મુજબ, 2023માં વિશ્વભરમાં આશરે 1.3 બિલિયન લોકો નોન-આલ્કોહોલિક મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોટિક લીવર ડિસીઝથી પ્રભાવિત હતા અને આ સંખ્યા 2050 સુધીમાં 1.8 બિલયન સુધી પહોંચી શકે છે. ભારતમાં, ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ - સાઉથ એશિયા’માં પ્રકાશિત અભ્યાસ મુજબ, દેશના લગભગ 38થી 40 ટકા પુખ્ત વયના લોકો ફેટી લિવરથી પીડાય છે. ખરાબ જીવનશૈલીની આડપેદાશ ગણાતી ફેટી લિવરની આ સમસ્યા હવે લિવર ટ્રાન્સપ્લાન્ટેશનનું મુખ્ય કારણ બની રહ્યું છે. સાથે સાથે જ હૃદય રોગથી મૃત્યુનું જોખમ પણ વધારે છે.

    બેક્ટેરિયા આપણા બોડીગાર્ડ?!

    કોઇ પણ વ્યક્તિ લેખનું મથાળું વાંચીને ચોંકી જશે, પણ આ વાત સો ટચના સોના જેવી સાચી છે. તંદુરસ્ત માણસના શરીરમાં રહેતી બેક્ટેરિયાની મોટી ફોજ જ તેને વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે એવું મેડિકલ સાયન્સના વિવિધ પ્રયોગમાં પણ પુરવાર થઇ ચૂક્યું છે ત્યારે આવો આપણે પણ જાણી લઈએ કે બેક્ટેરિયા શરીર માટે કેટલા વધુ ઉપયોગી છે

    મલબેરીઃ પોષણનો ખજાનો છે આંગળી

    અંગ્રેજીમાં મલબેરી તે ગુજરાતીમાં શેતૂર. શેતૂરીનું આ ફળ કદમાં તો આંગળીના વેઢાં જેવડું હોય છે, પણ આયર્ન, વિટામિન સી, ફાઇબર અને એન્ટી ઓક્સીડન્ટસનો ખજાનો જ જોઇ લો. પોષક તત્વોથી ભરપુર શેતુરનું સેવન શરીર માટે અનેક પ્રકારે ગુણકારી છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધે છે, પાચનક્રિયા સુધરે છે, વજન નિયંત્રણમાં રાખે છે, હાડકાંને મજબૂત કરે છે, લીવરની કામગીરી સુચારુ બને છે અને આંખની રોશની વધારવામાં પણ તે મદદ કરે છે. અને હા, ગરમીના દિવસોની વાત કરીએ તો ઉનાળામાં તેનું સેવન શરીરને ઠંડક પણ પ્રદાન કરે છે.

    ઉનાળામાં દહીં અને શેકેલા જીરા

    ઉનાળાના આગમન સાથે જ ગરમીએ તેનું જોર દેખાડ્યું છે. એક હિટ તો આવી પણ ગયું, અને ગરમીનો બીજો રાઉન્ડ આવે તો પણ નવાઇ નહીં. ગરમીના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. અને આવી સમસ્યાથી બચવા માટે દહીં અને શેકેલું જીરું ખાવું ફાયદાકારક રહે છે. આયુર્વેદ અનુસાર જીરું અને દહીંનું મિશ્રણ પાચન માટે રામબાણ ઔષધી છે. ઉનાળામાં રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ અને તેમાં પણ શેકેલું જીરું ઉમેરવું જોઈએ. આ કોમ્બિનેશન ગરમી માટે સુપર ફુડ છે.

    હીટવેવથી આ ચાર ગંભીર સમસ્યા થઇ...

    આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, કિડનીને નુકસાન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધે છે. શરીર પરસેવા દ્વારા જ્યારે પોતાને ઠંડુ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે. આવી પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ અવયવોને અસર થઈ શકે છે.

    આ 3 નાની આદત ઘટાડશે હૃદયરોગનું

    શું તમે જાણો છો કે રાત્રે ફક્ત 11 મિનિટ વધુ ઊંઘ અને દિવસ દરમિયાન ફક્ત 4.5 મિનિટ વધુ ચાલવાથી તમારા હૃદયને શક્તિ મળી શકે છે? આપણે અતિશય વ્યસ્ત જીવનશૈલી છતાં ઘણીવાર જિમમાં જવાની અથવા હેલ્ધી ડાયેટ પ્લાનની યોજના તો બનાવીએ છીએ, પરંતુ તે બે-ચાર દિવસમાં જ તૂટી જતી હોય છે.

    લાંબો સમય બેસી રહેવાથી કેન્સર

    ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા અભ્યાસ અનુસાર, એક વખતમાં 30 મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહેવાની આદત કેન્સરથી મૃત્યુના વધેલા જોખમ સાથે સંકળાયેલી હોઈ શકે છે.

    થાક, શુષ્ક ત્વચા... પ્રોટીનની ઉણ...

    શું તમને ભોજન પછી થાક લાગે છે. અથવા તમારા વાળ અને નખ નબળા થઈ રહ્યાા છે? આ લક્ષણો પ્રોટીનની ઉણપને કારણે હોઈ શકે છે. પ્રોટીન મેટાબોલિઝમ, હોર્મોન સંતુલન, ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) અને સ્વસ્થ ત્વચામાં મદદ કરે છે. સેન્ટારા મેડિકલ ગ્રૂપના ફિઝિશિયન ડો. ગ્લેન જોન્સના મતે, જ્યારે ખોરાકમાં પ્રોટીન ઓછું હોય છે ત્યારે શરીર તેની પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્નાયુઓ તોડી નાખે છે. આ ધીમે ધીમે ઊર્જા, શક્તિ અને એકંદર સ્વાસ્થ્યને અસર કરે છે.