મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે. 

મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા.

દિઓદરના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર ૬૬ વર્ષીય દલપતભાઈ ભોગીલાલ દોશી સુરતમાં જગદ્ચંદ્રસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં ૧૪ મેએ દીક્ષા અંગીકાર કરશે. 

ઉત્તર ગુજરાતમાં સિધ્ધપુરની સરસ્વતી નદીના રેતીના પટમાંથી મળેલાં સોલંકી કાળના અતિ પ્રાચીન અને મૂલ્યવાન અવશેષોને સાચવવા માટે પાટણમાં ખાસ મ્યુઝિયમમાં મુકાશે.

તાલુકા મથક વડગામમાં ફાઇનાન્સ કંપનીમાંથી લોકોના નામે લોન ઉઠાવી એક મહિલા રાતોરાત ગાયબ થતાં ભોગ બનેલાઓએ આંચકો અનુભવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનાં ૧૬૭ ગામ તથા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રૂ.૧૪.૫૬ કરોડનો ખર્ચ કરવા માટેનો એકશન પ્લાન જિલ્લા પાણી પુરવઠા વિભાગે તૈયાર કર્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter