સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

૧ ઓક્ટોબરથી સુરતથી દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાનું ૧૬૮ બેઠકોવાળું વિમાન શરૂ કરવા શહેરના ઉદ્યોગકારો દ્વારા રૂ. ત્રણ કરોડની બેંક ગેરંટી આપવાની તૈયારી દર્શાવી છે.

અમેરકાવાસી મુસ્લિમ પરિવારને વતનમાં જ ખોરાકમાં ઘરની પુત્રવધૂએ જ ઝેર ખવડાવતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જોકે, સમયસર સારવાર મળતા પરિવારના સભ્યો બચી ગયા છે અને પુત્રવધૂ લાખો રૂપિયાની મત્તા લઇ ફરાર થઇ ગઇ છે. 

અંકલેશ્વર નગરપાલિકાએ છ ગધેડાની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હાસ્યાસપદ વાત એ છે કે, ગધેડાની હરાજીનો નિર્ણય નગરપાલિકાના મુખ્ય અધિકારીએ નોટિસના દ્વારા જાહેર કર્યો છે.

અમેરિકામાં રહેતા ભારતીયો માટે યોજાતી એક સોંદર્ય સ્પર્ધામાં મૂળ બારડોલી તાલુકાના માણેકપોરનો યુવક વિજેતા થયો છે.

વર્ષ ૧૯૪૨માં ‘આઝાદ હિન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાબરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે.

ગુજરાતના આંતરરિયાળ અને પછાત આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ, વનવાસી અને પછાત બાળકોને શિક્ષણ, કારકિર્દી વિષયક સલાહસૂચન અને અભ્યાસ ખર્ચમાં મદદ માટે અહલેક જગાવનાર...

રાજ્યની આર્થિક રાજધાની ગણાતું દક્ષિણ ગુજરાતનું સુરત શહેર કાપડ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના આ મોટા ઉદ્યોગમાં લગભગ પાંચ લાખ...

કેનેડાના ઓન્ટીયોમાં સ્થાયી થયેલા મૂળ વલસાડની મેઘા પટેલે ૧૫ ઓગસ્ટે ત્યાં યોજાયેલી મિસ ઇન્ડિયા કેનેડા સ્પર્ધામાં ‘પીપલ ચોઇસ’ એવોર્ડ જીતીને વલસાડનું ગૌરવ...

દિલ્હી અને સુરત વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ચાલતી ફ્લાઇટ માટે મોટું વિમાન ફાળવવાની માગણી અંતે સ્વીકારવામાં આવી છે. 

દેશવિદેશમાં વસતા ભારતીઓએ ૧૫ ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ રીતે કરી હતી. જોકે, જર્મનીના બર્લિન શહેરમાં એક ગુજરાતી તબીબે અનોખી રીતે આ રાષ્ટ્રીય...



to the free, weekly Gujarat Samachar email newsletter