સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

મુંબઇની જાણીતી રફ અને પોલિશ્ડ ડાયમંડ બ્રોકરેજ પેઢીનો માલિક રૂ. ૫૦ કરોડનો માલ ઉઘરાવી ગુમ થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

નવસારી જિલ્લામાં એનઆરઆઇની સંખ્યા વધુ છે. વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો અહીં આવીને જ લગ્ન કરતા હોય છે. એનઆરઆઇ સાથે લગ્ન કરતી કેટલીક યુવતીઓને લગ્ન પછી દહેજ સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

સુરતઃ વિવિધ ક્ષેત્રની ત્રણ હસ્તીઓને અહીંના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એસઆરકે ફાઉન્ડેશન તરફથી સંતોકબા એવોર્ડે પૂ. મોરારિબાપુના હસ્તે એનોયત થયો હતો. 

ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગોને કુશળ લોકો મળે તે માટે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

સુરત: રાજ્ય સરકારે હીરા વેપારીઓની સુવિધા માટે સુરતમાં ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી સ્થાપવાનો નિર્ણય લીધો છે.

નવસારીઃ દિવાળી પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ખાસ કરીને શુભ પ્રસંગોની સિઝન શરૂ થતી હોવાથી તેમની વતનની મુલાકાત વધી જાય છે. જેને કારણે કારણે સ્થાનિક બજારમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરઆઇ દ્વારા...

સંઘપ્રદેશ દિવ-દમણ અને દાદરા નગર હેવલીને ગુજરાતમાં સમાવી લેવા માટેની હિલચાલની વાતો પાયાવિહોણી હોવાનું પ્રશાસને જણાવ્યું છે. દમણ તેમ જ દાદરા નગર હવેલીના પબ્લીસિટી ડીપાર્ટમેન્ટ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દમણ પ્રશાસને ગૃહ મંત્રાલયમાં...

 ડાંગના ગાંધી તરીકે ઓળખાતા અને જેમણે ડાંગને ગુજરાતમાં સમાવ્યું તેવા સ્વાતંત્ર્ય સેનાની ઘેલુભાઈ નાયક (૯૨)નું ગત સપ્તાહે અવસાન થયું છે. ૧૯ જૂન ૧૯૨૪ના રોજ ગણદેવી તાલુકાના કોલવા ખાતે જન્મેલા માતા લક્ષ્મીબેન અને પિતા ગુલાબભાઈના સંતાન ઘેલુભાઈના નિધનથી...



to the free, weekly Gujarat Samachar email newsletter