હાઉસ ઓફ કોમન્સમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન-ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા 24 ઓક્ટોબર, મંગળવારે 20મા વાર્ષિક અહિંસા દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના હાઉસ ઓફ કોમન્સ ખાતે વાર્ષિક અહિંસા દિન ઉજવાય છે જ્યારે પાર્લામેન્ટ, જૈન અને અન્ય ધાર્મિક કોમ્યુનિટીઓ અને વિદ્વાનો સહિત ખ્યાતનામ વ્યક્તિત્વો અને મહાનુભાવો એક સાથે આવે છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સભ્યો માટે તાજેતરમાં રંગેચંગે દિવાળી સેલિબ્રેશન યોજાયું હતું. 5LPના નામે જાણીતી આ સંસ્થા ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા જિલ્લામાં આવેલા બાલિસણા, સંડેર, મણુંદ, વાલમ અને ભાન્ડુના મૂળ વતની અને બ્રિટનમાં વસતાં પાટીદારોને એકતાંતણે બાંધે છે.
ભારતીબહેન પંકજની કવિતાઓનાં પુસ્તક ‘આઈડેન્ટિટી પોએમ્સનું લોકાર્પણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે 25 ઓક્ટોબર 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ભારતીબહેનની 100 ગુજરાતી કવિતાઓનો ઈંગ્લિશમાં અનુવાદ ડો. અદમ ટંકારવી દ્વારા કરવામાં આવ્યો છે. કાર્યક્રમનો શુભારંભ ડો. નંદકુમાર MBEએ મોકલેલી પ્રાર્થનાઓનાં આકાશ દોશી દ્વારા પઠન સાથે કરાયો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ત્રીજી ડિસેમ્બર - રવિવારે સવારે 10થી સવારે સાંજે 4 વાગ્યા સુધી સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન થયું છે.
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન ( LCNL) દ્વારા રવિવાર, 3 ડિસેમ્બર 2023ના દિવસે હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટનો મુખ્ય હેતુ તંદુરસ્ત જીવન માટે જાગૃતિ કેળવવાનો હતો.
નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિખ્યાત ગાયક મુકેશની જન્મ શતાબ્દીની સૂરિલી ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સમાચાર અને Asian Voice દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 73મી પૂણ્યતિથિએ સંગત સેન્ટર - હેરો ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર - મણિનગર ખાતે શનિવારે પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીના ગ્રંથ વચનામૃતની 204મી જયંતીની ઉજવણી કરાઈ હતી.
