‘ડેડી, મારે તમને કંઈક કહેવું છે...’ કહીને રડી પડી ધ્વનિ. ડેડીએ કહ્યું, ‘બેટા, કાંઈ પ્રોબ્લેમ છે?’ જવાબમાં ફરી ડુસકું મૂકતાં કહ્યું, ‘તમારી ને મારી ઈચ્છા પ્રમાણે...’ આટલું બોલીને ફરી રડી પડી. ડેડીની ચિંતા ઔર વધી કે આને કોઈ હેરાન કરે છે? ઘરમાં...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ...
‘ડેડી, મારે તમને કંઈક કહેવું છે...’ કહીને રડી પડી ધ્વનિ. ડેડીએ કહ્યું, ‘બેટા, કાંઈ પ્રોબ્લેમ છે?’ જવાબમાં ફરી ડુસકું મૂકતાં કહ્યું, ‘તમારી ને મારી ઈચ્છા પ્રમાણે...’ આટલું બોલીને ફરી રડી પડી. ડેડીની ચિંતા ઔર વધી કે આને કોઈ હેરાન કરે છે? ઘરમાં...
‘આ દીકરીઓ ગરીબ છે, આપણે થોડાં ગરીબ છીએ..? આ વાક્યો મેં મારી જાતને કહ્યા અને સમૂહ લગ્નનું કામ ઉપાડ્યું.’ આ શબ્દો તાજેતરમાં ઉચ્ચાર્યા હતા જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે. અવસર હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાના પોંઢા ગામની નજીક યોજાયેલા...
‘બેટા, મારી સાથે જ સ્ટેજ પર ઊભા રહો અને અભિવાદન ઝીલો...’ જુનિયર એટલે કે શિષ્યા એવી નૃત્યાંગનાને તેના ગુરુએ મંચ પર કહ્યું અને શિષ્યાની પ્રસ્તુતિને ઉપસ્થિત દર્શકોએ વધાવી. પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સૂર્યદેવની...
‘ડેડી, આવા સરસ ગામડામાં રહેવાનો આનંદ તો કાંઈ ઔર જ છે.’ સ્તુતિએ કહ્યું. ‘અહીંથી હવે પાછા અમદાવાદ જવાનું મન નથી થતું...’ નિશા અને સોલીએ કહ્યું. આવા આવા પ્રસન્નતાથી સભર-આનંદના-ઉલ્લાસના-ઉદગારો એક સ્થળે રવિવારે સવારથી આવેલા મહેમાનો ઉચ્ચારતા હતા. વાંચેલી-સાંભળેલી...
‘તમે બોર્ડના પ્રથમ દસમાં આવ્યા, બહુ એક્સાઈટેડ હશો નહીં? ટીવી ચેનલના પ્રતિનિધિએ ઋતાને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ના રે ના, બોર્ડે નક્કી કરેલા સિલેબસ મુજબ મેં તૈયારી કરીને નંબર મેળવ્યો એમાં શું? સિદ્ધિ તો ત્યારે હશે જ્યારે મારા જ્ઞાન ઉપર આધારિત કોઈ...
‘મારા પપ્પાને નિયમિતરૂપે તમાકુ ખાવાનું અને વખતોવખત દારૂ પીવાનું વ્યસન છે, એમના વ્યસનોમાંથી હું તેમને છોડાવી શકું એવી શક્તિ મને આપો અને તેઓ વ્યસનોમાંથી છુટી શકે તેવી સદબુદ્ધિ તેમને આપો...’ ગામડાગામની એક દીકરી રમાએ લખેલી આ વાત છે. વાચકને પ્રશ્ન...
‘મારે ડોક્ટર થવું છે’ તેજલ શંકરભાઈ સંગાડાએ કહ્યું. ત્યાં વળી બાજુમાં બેઠેલી મીનાક્ષી ભરતભાઈ ડામોર કહે, ‘મારે બહુ ભણવું છે ને પછી શિક્ષક થઈને છોકરા-છોકરીઓને ભણાવવા છે.’ આ બંનેની જેમ જ અહીં આવેલા શબનમ, શેખ, રાહીલ, જીવા, આયેશા ગાંડા, પૂજા સુમરા,...
લગન અને એય પાછા સ્મશાનમાં? ના હોય... પણ થયા હતા ને પૂજ્ય મોરારિબાપુએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે ૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ગામના સ્મશાને બેન્ડવાજા સાથે વરરાજાની જાન આવી પહોંચી ત્યારે ઘડીક...
‘હવે આ ઉંમરે તમારે વળી શેનું બ્યુટી પાર્લરમાં જવાનું કે હેર સ્ટાઈલિસ્ટને ત્યાં જવાનું હેં?!’ કોમ્યુપ્ટર પર પોતાનું કામ કરતાં કરતાં, મારા ચહેરાની સામે પણ જોયા વિના, મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં ઠાવકાઈ સાથે મિલનમામાએ કહ્યું.
‘એવોર્ડ મને મળે છે. મારા ઝભ્ભાને નહીં.’ ધરમશી બાપાએ મારી માતાને એ સમયે કહ્યું હતું. મસ્કતના ખુશનુમા વાતાવરણમાં મિત્ર હેમંત સુરૈયા સાથે અમે અશ્વિનભાઈ ધરમશીના ભવનમાં બેઠા હતા અને તેઓ એમના પિતાજીના સ્મરણો યાદ કરી રહ્યા હતા.