સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે મનની એક અવસ્થા છે

‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી શકું.’ મનોમન આવી સહજ પ્રાર્થના સોમનાથ મહાદેવના ચરણોમાં થઈ ગઈ અને આંખમાં આંસુ પણ ઝલમલી ગયા.

કેરીઃ સાચ્ચે જ અમૃત ફળ

‘એ ભાઈ તમે આમ અમને ઈર્ષ્યા કરાવો નહીં, હું યે પ્લેનમાં ઊડીને આવું છું. આંબાવાડીયુંમાં ફરવા ને કેરી ખાવા...’ હું વલસાડમાં કેરીની વાડીયુંમાં હતો, બ્રિટનથી બહેન મીનાનો ફોન આવ્યો, મેં એને આંબા ને કેરીના ઢગલાં બતાવ્યા એટલે તેણે આમ કહ્યું. દીકરી સ્તુતિ...

‘હવે આ બધું થોડા દા’ડા ભઈ, ફરી પાછું એનું એ જ થઈ જશે. જ્યાંને ત્યાં વાહનો વાહનો જોવા મળશે. જોજો...’ તો મિત્રએ કહ્યું, ‘બકા, ત્યારની વાત ત્યારે, અત્યારે ઘરમાંથી પહેલા હેલ્મેટ લઈને પહેર, પછી સ્કુટર ચલાવ..’ આ અને આ પ્રકારના અનેક સંવાદો અત્યાર અમદાવાદના...

અરે, પણ પાસપોર્ટ નહિ આવે તો આપણે ટુરમાં કેમ કરીને જશું?’ ‘આટલા બધાની ટિકિટ કેન્સલ કરાવો તો એના કેટલા પૈસા કપાય?’ ‘કાંઈક કરવું પડશે, પણ કરીએ તોયે શું?’ આ અને આવા પ્રશ્નો જુદા જુદા વ્યક્તિઓ-પરિવારના સભ્યો એક પછી એક બોલી રહ્યા હતા. સહુના ચહેરા...

કાશીમાં રામાનંદજી સ્નાન કરવા જઈ રહ્યા હતા. નદીના ઘાટ પર પગથિયાં ઉતરતા ઉતરતા એમનો પગ ત્યાં સુતેલા કબીર દાસને સ્પર્શી ગયો. એમના મુખથી રામ રામ શબ્દ નીકળ્યા. આ શબ્દને કબીરે દીક્ષામંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. કબીર...

‘કાકા, મને સમજાતું નથી કે તમે આટલી સમૃદ્ધિ હોવા છતાં કેમ રોજ આમ રીક્ષામાં જ બેસો છો?’ રીક્ષાચાલક કનુ નામના યુવાને ૬૦-૬૫ વર્ષના કાકાને કહ્યું. ‘અરે બેટા, હુંયે રીક્ષાવાળો જ છું, તારી જેમ રીક્ષા જ ચલાવતો હતો... લાંબી વાત છે. ચાલ, પહેલા ઘરે લઈ...

‘છોકરાવને હવે રજાઓમાં પણ ઘરે જવાનું નથી ગમતું. કલ્પના ન કરી શકો એટલો સુધારો એમની જીવનશૈલીમાં થઈ ગયો છે.’ હિલ સ્ટેશન સાપુતારામાં મોડી સાંજે વહેતી ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દુર્લભજીભાઈ ગોયાણી આનંદ સાથે કહી રહ્યા હતા.

આ પંક્તિઓ જેમના માટે લખાઈ એવું એક વ્યક્તિત્વ એટલે મૂળ નાર ગામના અને હાલ અમદાવાદસ્થિત કિરીટભાઈ પટેલ... જેમને સહુ કિરીટ શ્રીહરિ તરીકે ઓળખે છે. એમના સમગ્ર જીવનમાં નજર માંડીએ તો સમાજ માટે, સત્સંગ માટે અને સ્વવતન માટે એમણે સમય અને લક્ષ્મી સમર્પિત...

‘અરે, ખરા માણસ છે આ! હમણાં કહેતા હતા કે હું આ રૂપિયાની રકમ પરત લેવા નથી આવ્યો, ને મેં આપી તો પાછી આભાર આભાર કરતા લઈ પણ લીધી!’ આવો મનોમન સંવાદ સુજાતાએ પોતાની જાત સાથે એક ક્ષણ માટે કર્યો. હજુ એ કાંઈ વિચારે એ પહેલાં અપૂર્વે એક બોક્સ જેવું એના ટેબલ...

‘મસાલિયા’માં મસાલા ભરતા શીખો, સિઝન આવે એટલે હીંગ, ધાણાજીરું, હળદર, મરચું યોગ્ય જગ્યાએથી પસંદ કરીને આખા વરસના ખરીદવા જોઈએ, બેટા’. હસુબાએ દીકરીની દીકરીને સમજાવ્યું અને દીકરી સ્ટીલના મસાલિયામાં મસાલા ભરતા શીખી પણ ખરી.

‘આવા તો એક નહિ, હજારો ડોશીમા જેવા જરૂરિયાતમંદો હશે નહિ? એમને મદદ કરવા શું થઈ શકે?’ આ પ્રશ્ન રાજકોટવાસી જયેશ ઉપાધ્યાયને થયો અને જન્મ થયો બોલબોલા ટ્રસ્ટનો. ૧૯૯૧માં એક ડોશીમાને જયેશભાઈએ વોકર લઈ આપ્યું હતું. એ પછી તેઓ અને તેમના મિત્રો જીજ્ઞેશ ઉપાધ્યાય,...

‘આવ રે વરસાદ ઘેબરિયો વરસાદ’ બાળગીતોમાં અને કવિતાઓમાં તથા ફિલ્મી ગીતોમાં વરસાદ અને પાણીને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. આપણે ત્યાં તળાવ-નદી-ડેમ-ચેકડેમ-પાણીયારે-કૂવે એમ કેટકેટલી જગ્યાએ પાણી જોડાયેલું છે. પાણી-જળ-સાવ મફતમાં મળે અને કિંમત અમૂલ્ય!...



to the free, weekly Gujarat Samachar email newsletter