અમેરિકન સંશોધકોએ લોકોની ખાવાની આદતો પર ઊંડો અભ્યાસ કરીને તારવ્યું છે કે છેલ્લાં વીસ વર્ષમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે એની પાછળનું મુખ્ય કારણ ઊંઘવાના અને જમવાના સમયમાં અનિયમિતતા છે. આ રિસર્ચરોનું કહેવું છે કે ડાયેટિંગ દરમિયાન જે લોકો નિયત સમયે ઊંઘે છે અને નિયત સમયે જ જમે છે તેમને વેઇટ ગેઇનનું રિસ્ક રહેતું નથી.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોરોના મહામારી સામેની લડાઇમાં ઇતિહાસ સર્જતાં ભારતમાં કોરોના રસીના ૧૦૦ કરોડથી વધુ ડોઝ ફક્ત ૨૭૮ દિવસમાં આપી દેવાયા છે. વિશ્વમાં કોરોના વેક્સિનેશનના ડોઝની સંખ્યાના મામલે ભારત ફક્ત ચીન કરતાં પાછળ છે.
મહિલાઓની સરેરાશ વય પુરુષોથી વધુ હોય છે જે વાત તો સાબિત થઇ ચૂકી છે, પરંતુ હવે તે સારું આરોગ્ય પ્રાપ્ત કરવા પણ પ્રયત્નશીલ છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાંદરાના સ્ટેમ સેલમાંથી વિકસાવાયેલા સ્પર્મથી એગને ફર્ટિલાઇઝ કરવામાં સફળતા મળી છે. આ પ્રયોગ વાંદરાઓ પર કરવામાં આવ્યો છે. આ પ્રયોગ કરનાર જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાંદરાઓનું પ્રજનન તંત્ર એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ માણસો સાથે મળતી આવે છે. આ સ્પર્મને તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને પાંચ વર્ષનો સમય લાગ્યો છે.
વિકરાળ બની રહેલી બ્રેસ્ટ કેન્સરની બીમારીને દૂર કરવા માટે અમેરિકાના ક્લીવલેન્ડ ક્લિનિકે તેની વેક્સિનના પહેલા તબક્કાની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ ટ્રાયલની મદદથી આ કેન્સરના સૌથી ખતરનાક પ્રકાર ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરને કંટ્રોલ કરી શકાય છે.
મચ્છરથી મેલેરિયા જેવા રોગ ફેલાય છે ત્યારે તેને અટકાવવા માટે સ્વીડનના વૈજ્ઞાનિકોએ હવે મચ્છરોને ઝેર આપીને મારવાનો પ્રયોગ કર્યો હતો. આ માટે મચ્છરોને ઝેરી બીટનું જ્યૂસ પીવડાવવામાં આવ્યું હતું. મચ્છરો તેને માણસનું લોહી સમજીને પી ગયા અને થોડા સમયમાં મરી ગયા હતા.
મેન્ટલ હેલ્થને તરોતાજા રાખવાના ઇરાદે સ્પેનમાં ‘ક્રાઇંગ રૂમ’ બનાવવામાં આવ્યો, અહીં તમે ખૂલીને રોઈ શકો છો કે રાડો પણ પાડી શકો છો. સ્પેનમાં તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ‘ક્રાઇંગ રૂમ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આખા વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટીબીને કારણે થયેલા મૃત્યુમાં વધારો થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા રજૂ કરાયો છે.
આપણને કુદરતે અનેક ઉત્તમ ફળો ભેટરૂપે આપ્યાં છે. જેમાંનું એક ઉમદા અને સુંદર ફળ છે ‘દાડમ’. આ દાડમની આપણા સંસ્કૃત કવિઓએ પોતાના ગ્રંથોમાં અનેક વાર પ્રશંસા કરી છે. ઉપમા અલંકારમાં તો એનો ભરપૂર પ્રયોગ કર્યો છે, કારણ કે એના નાના-નાના દાણા મણિસમાન, કાંતિયુક્ત અને વિશિષ્ટ શોભા ધરાવે છે. દાડમના આ દાણા અને તેના છોડનાં બીજાં અંગો ઔષધ ઉપચારમાં ઘણાં ઉપયોગી છે.
શરીર તંદુરસ્ત રીતે કામ કરે તે હેતુસર ઓછામાં ઓછા છથી આઠ કલાક ઊંઘ લેવાની ભલામણ થતી હોય છે. અનિદ્રા આમ તો આજકાલની સામાન્ય સમસ્યા બની રહી છે, પરંતુ વધુ પડતી ઊંઘને પણ નજરઅંદાજ થઈ શકે તેમ નથી. વધુ પડતી ઊંઘ હૃદયરોગનું જોખમ વધારે છે. સપ્તાહના અંતે આવતી રજાઓમાં ઊંઘ લેવાની પણ એક મજા હોય છે, પરંતુ રોજબરોજ વધુ પડતી ઊંઘ લેવાની આદતને તબીબી નિષ્ણાતો ચિંતાજનક ગણાવે છે.
