દરરોજના ભોજનમાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ કાઢી વગેરેમાં વપરાતી સુકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આપણું આર્યુવેદ તો હળદરનો મહિમા ઘણા વર્ષો પહેલાં જ જણાવી ચૂક્યું છે. અને હવે આધુનિક તબીબી જગત દ્વારા થતાં સંશોધનોમાં પણ હળદરના લાભ જાણવા મળી રહ્યા છે. આવો, આજે આપણે જાણીએ હળદરના મનુષ્ય શરીરને માટે આ લાભદાયી ઉપાયો અને ઉપચારો...
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
એક વર્ષમાં ૧૮થી ૨૦ વર્ષના એક મિલિયનથી વધુ યુવાનોને તબીબોએ માનસિક આરોગ્યની ગોળીઓ અપાઇ છે. ડિપ્રેશનના યુવાન દર્દીઓમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે. આ વય જૂથમાં દર નવમાંથી એક અસ્વસ્થતા અથવા બાયપોલારની સારવાર માટે દવાઓ લઈ રહ્યા છે.
ખારેક લાંબો સમય ટકી શકે છે કેમ કે સૂકી હોય છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી જેવા કેટલાય પોષકતત્ત્વોની ભરમાર હોય છે. પરંતુ જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય છે.
વિન્ટરમાં સ્ટાઇલિશ દેખાવાના એક નહીં, અઢળક વિકલ્પ છે. ઠંડીથી બચવા યુવતીઓ લોન્ગ વિન્ટર વેર તરીકે અનેક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે. જેમ કે, સ્વેટર, વુલન ટોપ, કુરતાં અને બ્લેઝર. અનેક પ્રકારના વિન્ટર વેર આઉટફિટને તમારા કલેક્શનમાં સામેલ કરી શકો છો અને પહેરીને સ્ટાઇલિશ દેખાઇ શકો છો. આ કપડાં ઠંડીથી બચાવવાની સાથે ટ્રેન્ડી લુક પણ આપે છે. ઠંડીથી બચવા યુવતીઓ બ્લેઝર પહેરી શકે છે. તેને અલગ અલગ રીતે પહેરીને લુકને કેઝયુઅલ, પ્રોફેશનલ કે પાર્ટી સ્ટાઇલ આપી શકો છો. બ્લેઝરને એ રીતે પહેરો જેથી તમારી સ્ટાઇલ સૌથી અલગ લાગે.
જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા રહેતી હોય એવા લોકોને ચિત્તભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાઓના ભોગ બનતા હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. સંશોધકોએ આ માટે નોર્થ અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં આધેડ અને વૃદ્ધોની ઊંઘની સ્થિતિ અને માનસિક હાલત અંગે અગાઉ થયેલા ૫૧ અભ્યાસોના ડેટા તપાસ્યા હતા.
દરેક ભારતીય રસોડામાં જોવા મળતો અજમો ભોજનના સ્વાદને ત વધારે છે, સાથે સાથે જ પેટની પણ કેટલીય તકલીફો પણ દૂર કરી નાંખે છે. આપણા પૂર્વજો અજમાના ગુણો સદીઓથી જાણતા હતા, તેથી જ ભારતીય રસોઇમાં તેનું મહત્ત્વ રહ્યું છે.
તાઇવાનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ૧૮ પ્રકારની વિવિધ કસરતોની તપાસ કરી હતી. જેનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાની તાલાવેલી હતી. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે શરીરની સ્થૂળતાનું મૂળ કારણ ખરાબ જિન્સ નથી.
તબીબી નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો તમારે તમારા શરીરમાં ફ્રી રેડિકલનું તોફાન અટકાવવું હોય, મતલબ કે તમારા શરીરને રોગગ્રસ્ત થતાં અટકાવવું હોય તો તમારે આવા નુકસાનકારક તત્વોને શરીરની બહાર કાઢી નાખવા એન્ટી-ઓક્સિડન્ટનો ઉપયોગ કરવો જોઇએ.
...જેના કારણે લોકો યોગમાં બહુ ઓછો રસ લે છે
લોકોની નિરામય સ્વાસ્થ્ય અંગે જાગ્રતતા વધતી જાય છે તેની સાથે સાથે સૂકા મેવાનું મહત્ત્વ પણ વધતું જાય છે. સૂકા મેવામાં બદામ, અખરોટ, પિસ્તાં, (મીઠા વગરના) ઉપરાંત ખજૂર, અંજીર, જરદાલુ વગેરે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઉપરાંત મોળી સીંગ, તલ વગેરે પણ ખૂબ ઉપયોગી છે. જોકે સૂકા મેવામાં કેલરી વધુ આવે છે માટે એનો ઉપયોગ વધુ પડતો કરવાનું હિતાવહ નથી. આ સ્થિતિ ટાળવા માટે ઘરમાં એક મુઠ્ઠી મિક્સ મેવાની નાની કોથળીઓ બનાવીને ડબ્બામાં ભરી રાખો, તેથી વધુ પડતો ઉપયોગ ટાળી શકાશ. દિવસ દરમિયાન જ્યારે પણ વધુ પડતી ભૂખ લાગે ત્યારે સૂકો મેવો ખાઈ શકાય છે.
