યુવાપેઢીને આકર્ષતું ભક્તિસંગીત - ભજનવાણીનું આધુનિક સ્વરૂપ

આજકાલ વિવિધ માધ્યમોમાં સોશિયલ મીડિયામાં પ્રાચીન-અર્વાચીન ભજનો, તેના કાર્યક્રમો વિશેષરૂપે યુવાઓને આકર્ષિત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે. ભક્તિ, સંગીત, ભજનવાણીના શબ્દો અને તેનો ભાવ આત્મસાત થઈ જાય તો ભવસાગર પાર થઈ જાય એવાયે કેટલાકના...

સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે મનની એક અવસ્થા છે

‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી શકું.’ મનોમન આવી સહજ પ્રાર્થના સોમનાથ મહાદેવના ચરણોમાં થઈ ગઈ અને આંખમાં આંસુ પણ ઝલમલી ગયા.

મોબાઈલ એપ પર સંગીત સાંભળી રહેલી કોલેજમાં ભણતી દીકરીએ ડેડીને કહ્યું, ‘આ વખતે શિવરાત્રિમાં સોમનાથ જવાના છીએ તો રસ્તામાં સાંભળવા શિવસ્તુતિ, શિવ ભજનો હું એકઠા...

ફરીને અવસર એ આવ્યો, રામનું નામ ફરીને ગુંજશે, ફરી એ જ અમૃતવાણી પામશે, ધન્ય ધરા આ જલિયાણની... આ શબ્દો ચરિતાર્થ થયા, માતુશ્રી વીરબાઈમા અને પૂજ્ય જલારામ બાપાના...

‘હજી તો ઉંમર જ શું છે એની? ફક્ત પાંચ કરોડ વર્ષ... એક નવયુવાનમાં હોય એવો તરવરાટ ને તોફાન ને તાંડવ બદ્ધુ એને હસ્તગત છે. ’ સુરતના કર્મવીર ભટ્ટ જેના વિશે વાત...

દેજે દેજે અબુધ શિશુને, તું જ સદબુદ્ધિ દેજે, રહેજે રહેજે અમ પર સદા, તું પ્રસન્ન જ રહેજે... અરબી સમુદ્રના કાંઠે આવેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને આધ્યાત્મિક...

‘સાચ્ચે જ જાણે શબ્દની અલખ આરાધના થતી હોય એવું લાગ્યું...’ ‘અહીં અલખ કાર્યક્રમમાં જાણે પ્રેમનો મલક સૂર-શબ્દથી અનુભવાયો...’ ‘કલાકારોની પ્રસ્તુતિમાં પ્રાચીન સંતવાણી માટેનો એમનો પ્રેમ પણ ઝલકતો હતો...’ કાર્યક્રમ પૂરો થયે શ્રોતાઓ પરસ્પરને આવા વાક્યોમાં...

‘અરે, કૈસે લોગ હો આપ? ગોવા ગયે ઔર ૩૧ ડિસેમ્બર કે દિન વાપીસ આ ગયે?’ ઓફિસમાં સખીએ કહ્યું. ‘હમ લોગ ગયે થે કેવલ ઔર કેવલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ કે લીયે, અગર...

‘દુનિયામાં કોઈ કોઈનું નથી... સહુ સ્વાર્થના સગાં છે સાયેબ, આ બધી માનવ ધર્મની ને સંવેદનશીલતાની ને બીજી બધી ડાહી ડાહી વાતો નકામી છે.’ ચોરે બેઠેલા કાકાઓ વચ્ચે દુનિયાભરની ચર્ચા ચાલતી હતી. એમાં એક બોલ્યા ને વળી બીજાએ ટાપશી પુરાવી.

એક યુવાન કમ્પ્યુટર પર કોઈ મહત્ત્વનું ફોર્મ ભરી રહ્યો હતો. કમ્પ્યુટરનું કર્સર એ રીતે એ ફેરવતો હતો કે જાણે કોઈક બાઈકર ઝીગઝેગ ડ્રાઈવ કરતો હોય. એને જ્યાં કર્સર મૂકવાનું હોય તો ત્યાં જતાં પહેલાં ડાબે-જમણે, ઉપર-નીચે એમ ક્યાંયે ફરી આવે અને પછી મૂળ...

‘તારે કૃતાર્થના ઘરે જવું હોય તો તને એ ખબર છે? કેટલું બધું દૂર છે બેટા?’ કવિને એના મિત્રની દીકરી ઋચાને કહ્યું. ઋચાએ જવાબ આપ્યો કે, ‘મને એટલી ખબર છે કે મારે કૃતાર્થ અંકરના ઘરે જવું છે બસ...’

‘અમે તો અમારે ત્યાં માણસ પગ મુકે ત્યાં ઓળખી જઈએ...’ આ વાક્ય ફોન પર આમ જુઓ તો એક સાવ અજાણ્યો માણસ દીપેશને કહી રહ્યો હતો. એટલું જ નહીં, એ માણસ દીપેશના ભરોસે તેના કર્મચારીને રૂપિયા પાંચ હજાર જેવી રકમ તત્કાલ ઉછીની આપી રહ્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter