‘કહું છું, આ દીકરી બહુ ભણે છે, પણ ખર્ચાને કેમ પહોંચી વળીશું?’અમરીબહેને પતિ રામભાઈને કહ્યું. વાત સાચી જ હતી, પરંતુ આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવ્યો તેની વાત જાણવા તમને લઈ જવા છે સૌરાષ્ટ્રના દેવકા ગામમાં.
એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના...
અરદેશર ખબરદારે લખ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતના નાના ગામડામાં રહેતા હોય કે વિશ્વના આધુનિક મહાનગરોમાં રહેતા હોય, એમણે આ પંક્તિના ભાવને સાચ્ચે જ આત્મસાત કર્યો છે. ભલે એકાદ બે ગુજરાતી હોય, પણ એ...
‘કહું છું, આ દીકરી બહુ ભણે છે, પણ ખર્ચાને કેમ પહોંચી વળીશું?’અમરીબહેને પતિ રામભાઈને કહ્યું. વાત સાચી જ હતી, પરંતુ આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવ્યો તેની વાત જાણવા તમને લઈ જવા છે સૌરાષ્ટ્રના દેવકા ગામમાં.

‘અરે બહુ વાગ્યું તો નથી ને?’‘તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તે સારું થયું!’‘હવે ક્યાંયે જતા નહીં, મારા ઘરે આરામ કરજો...’આવા લાગણીભર્યાં પાંચ-સાત વ્યક્તિઓના...
ઉત્તર ગુજરાતના ગામમાં મૂળ વતન ધરાવતા મહેશ જોશી. એમના પત્ની નીતા અને ત્રણ દીકરીઓના પરિવાર સાથે વસ્ત્રાપુર, અમદાવાદમાં રહે છે. દિશા સહુથી મોટી, ત્રણે દીકરીઓ માતા-પિતાને સંતોષ થાય એવું ભણી છે અને પોતપોતાના અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે.
‘અંકલ હવે મારે જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવો છે, બીજાને પણ રાજી રાખવા છે, અને તેનાથી મારે પણ રાજી રહેવું છે.’ દિશાએ એના પપ્પાના મિત્ર મણિલાલ રાજપૂતને કહ્યું.
‘ઓડિયન્સમાંથી એક છોકરાને ગાવું છે, ઈન્વાઈટ કરજો.’ કાર્યક્રમ આયોજન સાથે સંકળાયેલા એક મિત્રએ સ્ટેજ પર સંચાલન કરી રહેલા સૂત્રધારને SMS કર્યો.
‘આમ કોઈ લાખના બાર હજારના ધંધા કરાતા હશે?’ એક-બે સાથીમિત્રોએ દશરથસિંહને સલાહ આપી. પ્રશ્ન એ થાય કે સેવા પ્રકલ્પ અથવા આયોજન હતું જેના માટે તેમને આવી સલાહ મળી હતી.
‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું.
‘સર, આપકી બાત સચ્ચી હૈ, મગર જબ સહી જગા મિલેગી તબ હી મેં ગાડી રોકુંગા.’ ભાંગીતૂટી હિન્દીમાં કેરાલીયન ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર શફીકે કહ્યું ત્યારે મુસાફરોને થોડો સમય એના પર ગુસ્સો આવ્યો. પરંતુ શફીકે આવું કેમ કહ્યું તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ...
‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.

‘મને આજે ખૂબ જ ગર્વ થાય છે, જે વિચાર તમે અમલી બનાવ્યો છે તે ઘણો જ આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે.’