નૃત્યઃ માનવ મનની અભિવ્યક્તિનું રસમય દર્શન

અદભૂત કાર્યક્રમ... નૃત્ય અને ગુજરાતી ગીતોનો આવો સમન્વય અમે પહેલી વાર જોયો... નૃત્યકાર અને સૂત્રધારનું પરફેક્ટ પરફેક્શન હતું આ કાર્યક્રમમાં.... આ અને આવા ઉત્સાહપૂર્ણ – ઉલ્લાસપૂર્ણ અનેક પ્રતિભાવો અમને મળ્યા અને અમારા માટે એ દિવસ જાણે ઉત્સવની ઊજવણીનો...

કમલેશ આવસત્થીઃ ગાયક મુકેશના અવાજની અનુભૂતિ

‘કમલેશે, અમારી સાત દાયકાની દોસ્તીનો દસ્તાવેજ એક વાર લખ્યો હતો. 1955માં સાવરકુંડલાની કુંડલા હાઈસ્કૂલના પાંચમા ધોરણથી અમારી દોસ્તી રહી, તે એની અંતિમ ક્ષણો સુધી રહી.’ આ શબ્દો કમલેશ આવસત્થીના સ્મરણમાં કહે છે ભાવનગરના સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ નવીન...

‘આવ રે વરસાદ ઘેબરિયો વરસાદ’ બાળગીતોમાં અને કવિતાઓમાં તથા ફિલ્મી ગીતોમાં વરસાદ અને પાણીને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. આપણે ત્યાં તળાવ-નદી-ડેમ-ચેકડેમ-પાણીયારે-કૂવે એમ કેટકેટલી જગ્યાએ પાણી જોડાયેલું છે. પાણી-જળ-સાવ મફતમાં મળે અને કિંમત અમૂલ્ય!...

‘તમે ભાવનગર જાવ છો ને? તો મહિનાના પહેલા રવિવારે જજો... ગાંઠીયા ખાવ, હરવા-ફરવા જાવ પણ સાંજે ૬ વાગ્યે સ્વામીનારાયણ ગુરુકૂળ, સરદારનગર પહોંચી જજો...’ ભાવનગરી મિત્ર મનોજ શુક્લે કોઈને કહ્યું... સામે પ્રશ્ન થયો ‘કેમ?’ જવાબ મળ્યો કે, ‘તમે સંગીતથી તરબતર...

‘માણસની અંદર રહેલો માંહ્યલો જાગે તો તેનું જીવન ધન્ય થઈ જાય છે.’ આ શબ્દો કહ્યા હતા પૂજ્ય મોરારિબાપુએ. અવસર હતો સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટ આયોજિત માતૃવંદના કાર્યક્રમનો. સાણંદના નળ સરોવર રોડ પરની હાઇસ્કૂલમાં મોરારિબાપુના હસ્તે...

‘અરે અજાણ્યા ગામમાં સેવા કરવા જાવ તોયે કોણ સ્વીકારે? શરૂશરૂમાં બહુ કાઠું પડ્યું. બાળકોનો અને ગ્રામજનોનો પ્રેમ સંપાદન કર્યો એ પછી શરૂ થઈ મારી પેઢામલી ગામની યાત્રા.’ વાતવાતમાં એડવોકેટ અશોક દામાણીને જલદીપ ઠાકર કહે છે. જલદીપે પેઢામલી ગામમાં બાળકોના...

‘હું હરિયાણાના જે ગામમાં રહું છું ત્યાં અખબાર પણ નથી આવતું. મજબૂત મનોબળ અને સંકલ્પશક્તિ જીવનમાં હોય તો બધું જ શક્ય છે...’ હરિયાણાની અનુકુમારીએ એક અખબાર સાથે કરેલી વાતચીતના આ શબ્દો છે. યુપીએસસી દ્વારા તાજેતરમાં જે પરિણામની જાહેરાત કરાઇ હતી તેમાં...

‘લે, ખાઈ લે...’ દસ-બાર વર્ષની એક છોકરી મકાઈનો ડોડો બનાવીને કંતાનની લંગોટીભેર પડેલા, તાવથી તડપતા, નર્મદાકિનારે શીલાઓ પર ભુખથી ગ્રસિત એક યુવાનને કહે છે. યુવાન પૂછે છે, ‘મા, તું કોણ છે?’ જવાબ સાંભળીને તેને બ્રહ્માંડ ડોલતું દેખાય છે. એ જવાબ હતો......

શિક્ષિકાની નોકરી, દીકરા-દીકરી પરણાવવાના, પતિની નોકરીના સમયપત્રકને સાચવવાનું આ બધા પછી નિવૃત્તિ તો પૌત્રીઓને પ્રેમ આપવાનો એમ સામાજિક રીતે સતત ભાગદોડમાં રહેતાં જ્યોતિબહેન છુટક-છુટક અનેક તીર્થધામોની યાત્રાએ જઈ આવ્યા હતા. જોકે એમના મનમાં લાંબા સમયથી...

‘હું મને કથાકાર નહિ, પરંતુ કથાવાચક તરીકે ઓળખાવવાનું વધું પસંદ કરું છું’ યુવા વક્તા શ્યામભાઈ ઠાકરે કહ્યું અને પછી ઉમેર્યું ‘સામાન્ય રીતે જે રચના કરે તેની પાછળ ‘કાર’ પ્રત્યય લાગે, કારણ કે તેમાં કર્તૃત્વ સમાયેલું છે. શ્રીમદ્ ભાગવતનું સર્જન વ્યાસજીએ...

‘આ બધું સાંભળ્યા પછી સમજાય છે કે આપણે ઉપેક્ષિતોને બહુ અન્યાય કર્યો છે...’ ‘આ લોકોના સંઘર્ષોની વાત સાંભળીને હચમચી જવાય છે, તો જેમણે ભોગવ્યું છે એમની દશા કેવી હશે..?’ ‘કહેવાતા વિકસિત સમાજે ઉપેક્ષિતોને અસુરક્ષિતતાને અવહેલના જ આપ્યા છે...’

‘આવો, તમને એક મસ્ત ફકીર સાથે પરિચય કરાવું’ એડવોકેટ અશોક દામાણીએ એમના મિત્રને કહ્યું. ગામડું હોય કે શહેર, ખૂણે-ખાંચરે પડેલા-માનવતાનું કાર્ય કરનારા, સમાજ માટે સમર્પિત લોકોને સમાજના બહોળા વર્ગ સુધી લઈ જવાનું, એમને સન્માનવાનું ઉમદા કાર્ય અશોકભાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter