‘સી.બી. તમે તમારું જીવન સફળ-સાર્થક કરી દીધું’

રા. રા. ભાઈશ્રી સી.બી.ભાઈ, જય શ્રીકૃષ્ણ... જય સ્વામિનારાયણ. અત્રે સર્વે કુશળ છીએ અને આપની તથા કુટુંબની કુશળતા માટે પ્રભુ પ્રાર્થના. ઘણા વખતથી મારે તમને મારા મનની વાત જણાવવી હતી પરંતુ આજે મને અવસર મળ્યો.

ધામેચા પરિવારના હૈયે લોહાણા કોમ્યુનિટીનું હિત વસ્યું છે

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના...

તા. ૧૬.૦૩.૨૦૧૯ના ‘ગુજરાત સમાચાર’માં પાન.૮ પર કોકિલાબેન પટેલનો લેખ વાંચીને જણાવવાનું કે ફોન દ્વારા ખાસ કરીને મોટી ઉમરના લોકો સાથે ઠગાઈ થતી હોય છે. તેઓ નિવૃત હોવાથી ઘરે એકલા હોય છે. મોટાભાગના લોકોને ભાષાની સમસ્યા હોય છે. આવા બનાવો ખૂબ જ બને છે....

ઘણા સમયથી જે બ્રેક્ઝિટ વિશે સૌ ચિંતિત હતા તે ‘ડ્રાફ્ટ વિધડ્રોવલ એગ્રીમેન્ટ’ યુકેની પ્રસ્તાવિત ડીલનો ઐતિહાસિક પરાજય થયો છે. ‘પ્રસ્તાવિત ડીલ અને ડ્રાફ્ટ’ વિશે ટિપ્પણી કરવાનો હેતુ નથી. સૌએ ખુબ જ મહેનત કરી છે અને બધાનો હેતુ રાષ્ટ્રભાવના છે જેમાં...

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે બે સપ્તાહ પૂર્વે 'ગુજરાત સમાચાર'માં વિસ્તૃત અહેવાલ વાંચ્યો હતો. તમે જ્યારે સહીઅો એકત્ર કરવા માટે પાના ભરીને અહેવાલો અને પીટીશનના ફોર્મ છાપતા હતા ત્યારે સાચુ કહું તો મને આ કામ અશક્ય લાગતું હતું. પરંતુ...

‘આઉટ ઓફ ઈયુ’ તો જીતી ગયા, પરંતુ હવે શું? લાગણીભર્યા પોકળ દેશાભિમાનથી પ્રજામાં ભાગલા પાડી દીધા. અંધારામાં પથરો તો ફેંક્યો પણ એ પથરો ક્યાં પડશે અને એનાથી દેશને કેટલું નુકસાન થશે એનો ઊંડો વિચાર કર્યો લાગતો નથી.

હવાતીયા મારતા અગ્રણીઅોતા. ૧૧મી જૂન ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં પાન નં. ૨૨ ઉપર ભાઇ કમલ રાવે લખેલો અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટમાં જશ લેવા હવાતીયા મારતા અગ્રણીઅોનો લેખ વાંચ્યો. આ સમાચાર વાંચીને ઘણુંજ દુ:ખ થયું. NCGOની કમિટીના ચંદ્રકાન્તભાઇ...

‘એશિયન વોઈસ’એ ‘વોટ-રિમેન’ અને ‘વોટ-લીવ’ બન્ને કેમ્પેઈનના લાભ અને ગેરલાભનો તટસ્થ ચિતાર (૧૧ જૂન,પાન નં.૧૬) આપ્યો છે. યુકેની કુલ વસ્તીના ૮૫ ટકા લોકો અંગ્રેજ છે. તેમની પસંદગી જ રેફરન્ડમનું પરિણામ નક્કી કરશે.

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કરેલ છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’. આ અભિયાન ફક્ત ભારત માટે નથી પણ સમગ્ર દુનિયા માટે છે. અમિતાભ બચ્ચને એક ટી.વી. કાર્યક્રમમાં કહેલી વાત જીવનમાં ઉતારવા જેવી છે. 

રાજકારણીઓને દેશની પરવા નથીતા. ૩૦-૪-૨૦૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. હેડલાઈનમાં ‘ભારતે માલ્યાનું નાક દબાવ્યું’ તે સમાચાર વાંચ્યા. માલ્યાએ તો તેનું ભાગ્ય તેના હાથે જ લખ્યું છે અને ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી.

શ્રી સીબીની 'જીવંત પંથ' કોલમ હું દર સપ્તાહે રસપૂર્વક વાંચુ છું. સીબી પોતાના અનુભવ, વિશાળ જ્ઞાન, વાંચન અને વિવિધ જાતી-જ્ઞાતિના સમુહમાં ફરીને એકત્ર કરેલ વિશદ તારણને આપણા સૌ સુધી 'જીવંત પંથ' કોલમ દ્વારા પહોંચાડે છે.

પવિત્ર તહેવાર હોળી-ધૂળેટીની ઊજવણી ખૂબ જ ધામધૂમથી મંદિરો તથા સામાજિક સંસ્થાઅોમાં મોટાપાયા ઉપર થયું. પણ પ્રશ્ન એ થાય કે છે કે શું આ મહત્ત્વનો પવિત્ર તહેવાર ફક્ત ઊજવણી પૂરતો મર્યાદિત રાખવાનો?



to the free, weekly Gujarat Samachar email newsletter